આરટીઈ અંતર્ગત પ્રવેશ માટેના સુધીમાં બે રાઉન્ડ બહાર પડી ગયા છે. જયારે અટકળો અને વિવાદો બાદ આરટીઈ અંતર્ગત પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ગઈ છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ માટે ડોક્યુમેન્ટ જમાં કરાવવાની છેલ્લી તારીખ આગામી 30 મી સુધીની નક્કી કરવામાં આવી છે.
શૈક્ષણિક સત્ર શરુ થયાના બે મહિનાં બાદ હવે ત્રીજા રાઉન્ડની જાહેરાત થતા વાલીઓ મુંજાયા છે. આપણે જણાવી દઈએ કે અગાઉ બીજા રાઉન્ડમાં 4551 બેઠકો માટે પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 2091 બેઠક ભરાઇ હતી.
ત્યારે હવે બાકી રહેલી સીટો માટે ત્રીજા રાઉન્ડની શરુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આરટીઈ માટે 1 લાખ 12 હજાર બેઠકો પર કુલ 1 લાખ 25 હજાર અરજીઓ મળી હતી. વધારે માત્રામાં અરજીઓ આવેલ હોવાથી મોડે મોડે ત્રીજો રાઉન્ડ શરુ કરવામાં આવ્યો છે.