ગુજરાત/ ગુરુવારે રાજ્યના તમામ CNG પંપ ત્રણ કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ

અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે, પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી નથી માટે ના છૂટકે અમારે અભિયાન કરવાનું નક્કી કરવું પડ્યું છે,

Top Stories Gujarat
Untitled 60 ગુરુવારે રાજ્યના તમામ CNG પંપ ત્રણ કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
રાજયમાં  આજ કાલ પેટ્રોલ ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે લોકો પોતાના વાહનોમાં CNG કીટ ફિટ કરી અને ચલાવી રહ્યા છે તેવામાં  અને હવે તો નવી કાર માં પણ કંપની CNG વેરિયન્ટ આપી રહ્યા છે ત્યારે હવે રસ્તા પર CNG વાહનો વધુ પ્રમાણમાં જોવા મળે છે. રાજ્યમાં ફરી એક આંદોલનના એંધાણ જોવા મળ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સની ચીમકી આપી છે. રાજ્યના 1200 સીએનજી પંપ પર ગુરુવારે સીએનજીનુ વેચાણ બંધ રહેશે.
બપોરના 1 થી 3 કલાક એમ બે કલાક સુધી વેચાણ બંધ રહેશે. CNG ગેસમાં ડિલર માર્જીન વધારવાનું નક્કી કર્યાના ૩૦ મહિના બાદ ન વધારાતા નિર્ણય કરવામાં આવ્યો છે . તમામ ત્રણેય કંપનીઓ સામે ડિલરોનું વિરોધ પ્રદર્શન યોજાશે. બે કલાક વેચાણ બંધ રાખીને કંપની સામે વિરોધ કરશે.
આ અંગે CNG ડીલરે જણાવ્યું કે, માર્જિન વર્ષ 2019માં વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આજે 30 મહિના થઇ ગયા છતાં અમારા ડીલર માર્જિનમાં કોઈ વધારો થયેલ નથી. આ બાબતે અમે ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરેલ છે, પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી નથી માટે ના છૂટકે અમારે અભિયાન કરવાનું નક્કી કરવું પડ્યું છે, અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.