રાજ્યમાં વધી રહેલા કોરોના નામ આંકડાઓમાં ઘટાડો નોંધવામાં આવતાં આંશિક રાહત જોવા મળી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 117 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 8273 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 518234 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસો 136158 છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 692604 પહોંચ્યો છે.
ગુજરાતમાં હવે કોરોનાને હરાવીને સાજા થઈ રહેલા દર્દીની સંખ્યામાં વધારો થતાં રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 11,592 કેસો નોંધાયા છે અને સામે 14,931 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 547935 નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 1,88,129 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 1,02,87,224 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 31,15,821 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,34,03,045 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3359, સુરતમાં 889, વડોદરામાં 710, મહેસાણામાં 588, રાજકોટમાં 396, જામનગરમાં 382 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 280, ભાવનગરમાં 280, જુનાગઢમાં 246, પંચમહાલમાં 231, ગીર સોમનાથમાં 223, કચ્છમાં 189, દાહોદમાં 179, આણંદમાં 176, મહીસાગરમાં 175, અરવલ્લીમાં 171, પાટણમાં 155, અમરેલીમાં 146, ખેડા અને સાબરકાંઠામાં 139, ભરૂચમાં 131, ગાંધીનગરમાં 124, નવસારીમાં 121, વલસાડમાં 102, છોટા ઉદેપુરમાં 98, સુરેન્દ્રનગરમાં 76, મોરબીમાં 72, નર્મદામાં 67, દેવભૂમિ દ્વારકમાં 58, તાપીમાં 49, પોરબંદરમાં 46 નવા કેસો નોંધાયા છે.