ધરાશાયી/ મુંબઇમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત,15 ઇજાગ્રસ્ત

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં  મોડી રાત્રે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં એક 40 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 15 લોકો ઘાયલ થયા હતા

Top Stories India
2 19 મુંબઇમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત,15 ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના બાંદ્રા વિસ્તારમાં  મોડી રાત્રે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં એક 40 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. ત્રણથી ચાર લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે, જેમની શોધખોળ ચાલુ છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક મહારાષ્ટ્ર નગર વિસ્તારમાં મોડી રાત્રે 12.30 વાગ્યે ગ્રાઉન્ડ વત્તા બે માળનું માળખું તૂટી પડ્યું હતું, અધિકારીએ જણાવ્યું હતું. જે બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ બચાવ ટીમને ત્યાં મોકલવામાં આવી હતી.ઘટનાની માહિતી મળતાં જ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ, પોલીસ અને વોર્ડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.હાલ કાટમાળ હચાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, આ ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે