ઓસ્ટ્રેલિયા સામે ચોથી સીરીઝનાં છેલ્લા ટેસ્ટ મેચની પહેલા ટીમ ભારતને મોટો ફેરફાર થયો છે. જેમાં ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવને વાગ્યું હોવાથી પહેલેથી જ તેઓ મેચની બહાર છે. હવે બોલર જસપ્રિત અને બૂમરાહ પણ ચોથા ટેસ્ટ મેચથી બહાર હોવાની જાણકારી મળી રહી છે. બીસીસીઆઈના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
બીસીસીઆઈના સૂત્રો દ્વારા જાણવા મળતી માહીતી મુજબ ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહના પેટના સ્નાયુઓમાં ખેચ આવવાના કારણે ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. જો આ વાત સાચી છે તો ભારતની ટીમ માટે ગંભીર પડકાર છે. ભારતના આક્રમણની ચાવી બૂમરાહ સીડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન તણાવ જાળવી રાખ્યો હતો.
રિપોર્ટ મુજબ બુમરાહની સ્કેનિંગ રીપોર્ટથી ખબર પડી કે એમના પેટના સ્નાયુઓ ખેચાવ આવ્યો છે. ઈંગ્લેન્ડની સામે આગામી 4 મેચોની ટેસ્ટ સીરિજના કારણે ભારતીય ટીમ પ્રતિબંધ નથી જોઈતો. ત્યારે તેમને પહોંચેલી ઈજા વધે નહી તે માટે તમને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી ત્રણ મેચોમાં ત્રીજી મેચ ડ્રો થઈ હતી. જેમાં પહેલી બે મેચ ક્રમશ ઔસ્ટ્રેલિયા અને ભારત જીત્યું હતું. બે ટીમો સીરિજમાં 1-1 ની બરાબરી પર છે. ચોથી ટેસ્ટ મેચ 15 મી જાન્યુઆરીએ બિસબેન, ગાબામાં રમાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…