કોરોના વાયરસના કહેરના કારણે રાજ્યમાં લાંબા સમયથી સ્કૂલો બંધ છે અને આ સ્થિતિમાં બાળકો માટે ઓનલાઈન શિક્ષણ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ ઓનલાઈન શિક્ષણથી કંટાળેલા એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલ્યો ગયો હોવાની એક ઘટના સામે આવી છે.
આ ઘટના ડાયમંડ સીટી સુરતની છે, જ્યાંશહેરના રાંદેર વિસ્તારમાં ઓનલાઈન અભ્યાસથી કંટાળેલો ધોરણ 8નો વિદ્યાર્થી ચિઠ્ઠી લખીને ઘરેથી ચાલ્યો ગયો હતો.
આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ, શહેરના ગંગા-જમુના એપોર્ટમેન્ટમાં રહેતો 14 વર્ષનો પુત્ર તરલ અડાજણ પાટિયા સ્થિત JHB પ્રાઈમરી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં આઠમા ધોરણમાં ભણે છે. પરંતુ 18 જાન્યુઆરીએ યોગેશભાઈ પત્ની સાથે ધંધાના કામઅર્થે ગયા હતા. આ દરમિયાન તરલ ચિઠ્ઠી લઈને ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો.
આ સમયે એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, “મમ્મી-પાપા મેને આપકો બહુત પરેશાન કિયા હૈ. અબ મૈં જા રહા હું. ઓનલાઈન પઢાઈ હમારે સમજ મેં નહીં આ રહી હૈ. બીજી બાજુ આ મામલે રાંદેર પોલીસે તરલની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…