- રાજ્યના આઈ.એ.એસ અધિકારીઓની બદલીનો દોર યથાવત
- રાજ્યમાં 14 જેટલા આઈ.એ .એસ અધિકારીઓની બદલીઓના આદેશ અપાયા
- કેટલાક આઈ.એ.એસ અધિકારીને પ્રમોશન પણ આપવામાં આવ્યું
- વહિવટીય કારણોસર કરવામાં આવી બદલીઓ
ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર યથાવત રાખ્યો છે, હાલ ગુજરાતમાં ચૂંટણી આવતા પહેલા જ અનેક વિભાગોમાં બદલી કરવામાં આવી રહી છે, સરકાર હાલ તમામ નાના મોટ અધિકારીઓની બદલી કરી રહી છે,છેલ્લા ઘણા સમયથી બદલીનો દોર યથાવત છે. રાજ્યમાં 14 આઇ,એસ ,અધિકારીઓની બદલીના આદેશ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. જ્યારે કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યો છે, પોલીસતંત્રમાં પણ બદલીનો દોર ચાલુ છે અનેક આઇપીએસને પણ બદલી છેલ્લા એક અઠવાડડિયામાં કરવામાં આવી રહી છે
ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકારે અલાગ-અલગ વિભાગોમાં બદલીનો દોર હાથમાં લીધો છે. ગુજરાતના ગૃહ વિભાગમાં બદલીનો દોર શરુ થયા પૂર્વે જ મહેસૂલ. મામલતદાર સેક્શન ઓફિસર બાદ હવે IAS અધિકારીઓની બદલી થઇ છે. લગભગ 14 જેટલા અધિકારીઓની બદલીમાં આણંદના DDO બી.જી.પ્રજાપતિ, નર્મદાના DDO પી.ડી.પલસાણા, એ જે અસારીની GSDMAના એડી. CEO તરીકે નિયુક્તી, IAS નેહા કુમારી, બોટાદના DDO લલિત નારાયણ સિંઘ સંધુ, IAS શિવાની ગોયલ, અંકીત પન્નુની નર્મદા DDO તરીકે નિયુક્તિ કરાઈ છે.