એનઆરસીની સૂચિ જાહેર થયા પછી એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપએ પાઠ શીખવા જોઈએ. તેમણે હિન્દુ અને મુસ્લિમના આધારે એનઆરસીની માંગને દેશભરમાં બંધ કરવી જોઈએ.
ગેરકાયદેસર ઘુસણખોરોનો ભ્રમ તૂટી ગયો છે. તેમણે કહ્યું કે, મારી પોતાની શંકા છે કે ભાજપ નાગરિકતા સુધારણા બિલ દ્વારા ખરડો લાવી શકે છે, જે તમામ બિન-મુસ્લિમોને નાગરિકત્વ આપી શકે છે, જે સમાનતાના હકનું ઉલ્લંઘન હશે. ઓવૈસીએ કહ્યું, આસામના ઘણા લોકોએ મને કહ્યું છે કે માતા-પિતાનાં નામ સૂચિમાં છે જ્યારે બાળકો ન હોય. ઉદાહરણ તરીકે, મોહમ્મદ સનાઉલ્લાહ સૈન્યમાં સેવા આપતા હતા. તેનો કેસ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. મને આશા છે કે તેમને ન્યાય મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.