ફેસબુક પોસ્ટથી મહારાષ્ટ્રનાં રાજકારણમાં ખલબલી ફેલાવનાર ભાજપનાં નેતા અને રાજ્યનાં ભૂતપૂર્વ મંત્રી પંકજા મુંડેએ હવે ટ્વિટર પર હંગામો મચાવી દીધો છે. પંકજા મુંડેની ફેસબુક પોસ્ટથી, એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ કદાચ ભાજપ છોડી દેશે, પરંતુ તેમના ટ્વિટર પ્રોફાઇલ પર નવા અપડેટ્સને લીધે આ અટકળોને હવા મળી છે. પંકજા મુંડેએ તેના ટ્વિટર બાયો પરથી ‘ભાજપ’ હટાવી દીધુ છે. પહેલાં, તેમની પ્રોફાઇલનું યૂઝરનેમ પંકજા મુંડે બીજેપી હતું, પરંતુ હવે ફક્ત @Pankajamunde તેમના ટ્વિટર પેજ પર લખેલુ છે.
પંકજાનાં આવુ કરવાથી લાગે છે કે તે પોતાના રાજકીય ભાવિ તરફ મોટું પગલું ભરી શકે છે અને એવી અટકળો પણ છે કે તે ભાજપને છોડી શિવસેનામાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરનાં રોજ પંકજાએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી, જે મરાઠી ભાષામાં હતી. આ પોસ્ટમાં, 12 ડિસેમ્બરે, તેમણે બીડ જિલ્લામાં આવેલા ગોપીનાથ ગઢમાં સમર્થકોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. વળી, રાજ્યનાં રાજકીય માહોલમાં પરિવર્તન જોતાં તેમણે તેમના ભાવિનો ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઈએ કે 12 ડિસેમ્બર એ ગોપીનાથ મુંડેની જન્મજયંતિ છે.
પંકજાએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, “રાજ્યમાં બદલાયેલા રાજકીય માહોલને જોતા હવે વિચાર કરવો અને નિર્ણય લેવાની જરૂરીયાત છે કે આગળ શું કરવું. મારી જાત સાથે વાત કરવા માટે મને આઠ થી 10 દિવસની જરૂર છે. વર્તમાન રાજકીય પરિવર્તનની પૃષ્ઠભૂમિ સામે ભાવિ મુસાફરીનો નિર્ણય લેવાની જરૂર છે. તેણે કહ્યું, ‘હવે શું કરવું? કયો રસ્તો પસંદ કરવો? આપણે લોકોને શું આપી શકીએ? આપણી શક્તિ શું છે? લોકોની અપેક્ષાઓ શું છે? હું આ તમામ પાસાઓ પર વિચાર કરીશ અને 12 ડિસેમ્બરે તમારી સમક્ષ આવીશ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.