મુંબઇ
દીબાકાર બેનર્જીની ફિલ્મ સંદીપ ઓર પીન્કી ફરારમાં ફરી એક વાર પરિણીતી ચોપરા અને અર્જુન કપુર સાથે જોવા મળશે.સંદીપ ઓર પીન્કી ફરાર આ ફિલ્મ ૧૮ ઓગસ્ટે રિલીઝ થશે.પરીણીતી ૬ વર્ષ પછી અર્જુન કપૂર સાથે જોવા મળશે. સંદીપ ઓર પીન્કી ફરાર ફિલ્મ કોર્પોરેટ યુવતીની લાઇફ પર બની છે જે તેના સપના પુરા કરવા માટે પ્રતિબધ્ધ છે.
પરિણીતીનું કહેવું છે કે આજકાલના જમાનામાં કરિયર બનાવવા ઇચ્છતી મહિલાઓ માટે આ ફિલ્મ ઉદાહરણ સાબિત થશે.
પરિણીતી અર્જુન સાથે કામ કરવા માટે પણ વધારે ઉત્સુક છે. પરીણીતી તેના અને અર્જુનનાં રીલેશનને લઈને વધારે જ સિરિયસ છે અને તે અર્જુન માટે કઈ પણ સાંભળી શકતી નથી એટલું જ નહી પરીણીતી અર્જુન માટે કોઈ પણ સાથે ઝગડો કરી શકે છે.