પાટણ,
પાટણના રાધનપુરના છાણિયાથર -ગુલાબપુરા કેનાલમાં ગાબડું પડ્યુ હતુ. ખેતરોમાં પાણી ઘુસતા ઊભા પાકને ભારે નુકસાન થયુ હતુ. કેનાલ ગાબડું પડતાં હજારો લિટર પાણી પણ વેડફાયુ હતુ. 50 ફૂટ જેટલું ગાબડું પડતા હલકી ગુણવતાની કામગીરી થઈ હોવાની ખેડૂતોમાં ચર્ચા કરાઇ હતી.