- સુરતમાં ફરી એકવાર પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા
- કતારગામ લલિતા ચોકડી પાસેની ઘટના
- પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન જીવતી સળગાવી મારી
- અન્ય સાથે પ્રેમ સબંધ હોવાની શંકામાં કરી હત્યા
Surat News: કતારગામ પોલીસે આરોપીની કરી ધરપડાયમંડ સિટીમાં વધુ એકવાત પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. એક યુવતીને પ્રેમ કરવા માટે મોતની સજા મળી છે. બન્યું એવું કે, સુરતાના કતારગામ વિસ્તારમાં પ્રેમનો કરુણ અંજામ આવ્યાની ઘટના સામે આવી છે. શંકાશીલ પ્રેમીએ સુતેલી પ્રેમીકા પર કેરોસીન નાંખીને સળગાવી દીધી છે. બનાવ સંદર્ભે પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે એક પ્રેમીએ પોતાની જ પ્રેમીકાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે, આ ઘટનામાં પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રેમીકા પર શંકા હતી. પ્રેમીકાને અન્ય સાથે પણ પ્રેમ સંબંધો હોવાની શંકા જતાં પ્રેમીએ ગુસ્સામાં આવીને પ્રેમીકા પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી.
આપને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રિના સમયે આશરે 2.00 વાગ્યાની આસપાસ શંભુને આ મોકો મળી ગયો તેણે પ્રેમિકાને સળગાવવાનો પ્લાન કર્યો. છેલ્લા 8 વર્ષથી તે રાધા સાથે પ્રેમમાં હતો. તેણે કરેલા પ્લાન પ્રમાણે, રાત્રિના સમયે ક્યાંકથી કેરોસીન લાવીને રાધા જ્યારે સૂતી હતી ત્યારે તેની ઉપર કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી હતી. રાધા જ્યારે સળગાવી ત્યારે પ્રથમ તો આ ઘટના આગની લાગી હતી પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતા આ ઘટના હત્યાની હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી
આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે