સુરત,
સુરતના ખરવાંસા ગામ પાસે આવેલા સ્વામી તેજાનંદ આશ્રમમાં મદિરમાં પ્રવેશ કરી ભગવાન ની મૂર્તિ મુગટ અને સોના ચાંદીના ઘરેણાં સહિત લાખો રૂપિયાના સામાન ચોરી કરી નાશી છૂટ્યા હતા.
આ અંગે મંદિરના સંચાલકોને જાણ થતાં સચિન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મંદિરની દાન પેટી અને ઘરેણાં અંગે તપાસ કર્યા બાદ ચોરીનો સાચો આંકડો સામે આવશે. હાલ તો પોલિસે સીસીટીવી ફુટેજ ના આધારે આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.