પાટણ,
વારાહીમાં અસામાજિક તત્વોના હુમલા બાદ પીડિત પરિવાર હિજરત કરવા માટે મકક્કમ છે, હિજરતને લઈને વાયરલ થયેલ વિડીયો બાદ વારાહીમાં અશાંતિનો માહોલ સર્જાયો છે.
વાયરલ થયેલ વીડિયો બાદ વારાહીમાં રાજકીય નેતાઓનો જમાવડો શરુ થયો છે. જેને લઈને શાંતિના બદલે અશાંતિનો માહોલ ઉભો થઇ રહ્યો છે.
પહેલા સ્થાનિક મહિલાઓએ અસામાજિક તત્વોના ત્રાસથી હિજરતની પરિસ્થિતિના નિર્માણનો વિડીયો વાયરલ કર્યો છે. કોઈ અનિશ્ચનીય ઘટના ન ઘટે તે માટે પોલીસવડાએ તાત્કાલિક મીડિયાના માધ્યમથી શાંતિ માટે લોકોને અપીલ કરી છે અને બહારથી આવતા લોકો ઓછા આવે તેવો મેસેજ આપીને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવી વારાહીમાં શાંતિ માટે અપીલ પણ કરી છે.