વિતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા સિન્હાનું ગુરુવારે 15 ઓગસ્ટના રોજ મુંબઇમાં અવસાન થયું. થોડા દિવસો પહેલા તેમને ગંભીર હાલતમાં મુંબઈની જુહુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યા થોડા સમયથી ટીવી સિરિયલોમાં કામ કરી રહી હતી.
વિદ્યા સિંહાને વેન્ટિલેટર પર રાખવામા આવી હતી. અને ત્યજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિદ્યા સિંહાને ફેફસામાં અને હાર્ટની તકલીફ હતી અને તેની ગંભીર હાલતને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.
અગાઉ, વિદ્યા સિંહા પણ તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે. 2009 માં, તેણે તેના બીજા પતિ ડોક્ટર સાલુંખે પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી વર્ષ 2011 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. વિદ્યાએ 2001 માં ઓસ્ટ્રેલિયાના ડોક્ટર સાલુંખે સાથે લગ્ન કર્યા હતા.
વિદ્યા સિંહાએ બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમ કે, ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઓર વો’, ‘સ્વયંવર’. તાજેતરના સમયમાં, તે ટીવી સિરિયલોમાં કામ કરતી હતી અને ‘કાવ્યંજલિ’, ‘કબુલ હૈ’ અને ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.