- દિલ્હી દરબારમાં પાટીદાર નેતા નરેશ પટેલ
- રાજકારણમાં પ્રવેશની વાત વચ્ચે દિલ્હીમાં નરેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. નરેશ પટેલને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી અને તેઓ કંઈ પાર્ટીમાં જોડાશે તેણે લઈને કોકડું હજું ગૂંચવાયેલું છે. નરેશ પટેલ આજે ફરીવાર દિલ્હીના દરબારમાં પહોંચશે .ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈને સવારે સમાચાર મળ્યા હતા કે તેઓ દિલ્હી દરબારમાં પહોંચશે, પરંતુ
ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે ફરી દિલ્લીના પ્રવાસે જવાના છે રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે દિલ્લી પ્રવાસ પર સૌની નજર મંડરાયેલી છે.. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો નરેશ પટેલના દિલ્લી પ્રવાસને તર્ક વિતર્ક સાથે જોઇ રહ્યા છે. નરેશ પટેલ છેલ્લા બે દિવસમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા.જામનગરમાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે જોવા મળ્યા હતા. ફરીવાર ક્યાં પક્ષ સાથે જોડાશે તે અંગે નરેશ પટેલે હજી સ્પષ્ટતા કરી નથી.