@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદ શહેરમાં મહિલાઓની સલામતીના દાવા કરવામાં આવે છે પરંતુ અસામાજિક તત્વો મહિલાઓને છેડવાનો મોકો મળતા જ હેરાનગતિ કરવાનું ચુકતા નથી.તેવામાં સરખેજ પાસેના ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસે રિક્ષાની રાહ જોતી 25 વર્ષીય યુવતી પાસે એક્ટિવા લઈને આવેલા નરાધમે તેનો હાથ પકડી ‘મારી એક્ટિવા પાછળ બેસી જા. હું તને ઓળખું છું,’ કહીને શારીરિક છેડછાડ કરતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
આ પણ વાંચો : નિંદરાધીન મહિલાને ચાલીનાં યુવકે ચુંબન કરી શરૂ કર્યા શારિરીક અડપલાં, મહિલા જાગી જતા થયું આવું
ફતેવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતી કરનાર યુવક સામે ફરિયાદ આપી છે, બુધવારે રાત્રીના સમયે આસપાસ યુવતી અંબર ટાવરથી ચાલતાં ચાલતાં ફતેવાડી પોતાના ઘર તરફ જઈ રહી હતી. ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસે તે ઊભી રહીને રિક્ષાની રાહ જોઈ રહી હતી તે દરમિયાન એક શખ્સ એક્ટિવા લઈને આવ્યો હતો. જેણે યુવતીનો હાથ પકડી ‘મારી એક્ટિવા પાછળ બેસી જા. હું તને ઓળખું છું’ કહીને છેડતી કરી હતી.
આ પણ વાંચો : નિવૃત PSI અને પુત્ર સાથે 58 લાખથી છેતરપીંડી, ભાગીદારી પેઢીમાં રોકાણના નામે પૈસા લઈ બે શખ્સો ફરાર
જોકે, યુવકની અભદ્ર હરકતથી ડરેલી યુવતીએ તેને “હું તને ઓળખતી નથી” એવું જણાવી બૂમાબૂમ કરતા લોકો એકઠા જતા એક્ટિવા ચાલક ફતેવાડી તરફ ભાગ્યો હતો.
યુવતીએ રિક્ષામાં બેસી એક્ટિવા ચાલકનો પીછો કરતા તે ફતેવાડી મસ્જિદ પાસે તેના મિત્રો સાથે ઊભો હતો. તેને જોઈને યુવતીએ તેની પાસે જઈને તેને કહ્યું કે, તે મારો હાથ કેમ પકડ્યો? તે મારી સાથે સારું નથી કર્યું. યુવકના આવા કૃત્ય અંગે મહિલાએ પોલીસને જાણ કરતા આ શખ્સ એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિનું નામ શાહરૂખ ઉર્ફે કાળિયો સલીમ શેખ છે. યુવતિએ આ બાબતની જાણ તેના ભાઈને કરી હતી. આ મામલે વેજલપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…