Covid-19/ વધુ એક ભાજપના નેતા કોરોનાનો શિકાર, આ જીલ્લા ભાજપ પ્રમુખને થયો કોરોના, હોસ્પિટલમાં સારવાર હેઠળ

જીલ્લા ભાજપ પ્રમુખને કોરોના, હોસ્પિટલમાં સારવાર હેઠળ

Gujarat Others Trending
rudrabhishek 8 વધુ એક ભાજપના નેતા કોરોનાનો શિકાર, આ જીલ્લા ભાજપ પ્રમુખને થયો કોરોના, હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા અનુસાર રાજ્કોયમાં કોરોના વાઈરસ નામશેષ થઇ રહ્યોછે. ત્યારે બીજી બાજુ ચૂંટણી જાહેર થયા બાદ એક પછી એક ભાજપના નેતા કોરોનાની ઝપટે ચઢી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં છોટાઉદેપુર જીલ્લાના ભાજપના પ્રમુખ કોરોનાનો શિકાર બન્યા છે. અને તેમને સારવાર  માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.  છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા છે. અને હાલમાં ચૂંટણીના માહોલ માં પ્રચાર પ્રસાર દરમિયાન કોરોના નો શિકાર બન્યા છે. અને  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખની છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સહીત અન્ય બે ભાજપના દિગ્ગજ નેતા પણ કોરોનાનો શિકાર બન્યા છે.  CM વિજય ભાઈ રૂપાણી , ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા અને તેમનો પુત્ર કોરોના ગ્રસ્ત છે. અને હાલમાં હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ