રાજયમાં જામનગર પાસે આવેલા ડિસેમ્બર 2017થી પીરોટન ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જે વન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટ ગાર્ડ વગેરે સાથે ચર્ચા કર્યા પછી 6 ફેબ્રુઆરીથી વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને પખવાડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કેટલીક શરતો સાથે ટાપુ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.
આ પણ વાંચો:મામાનું ઘર / મહિલા ઉત્થાન માટે આ દીકરીએ શરૂ કર્યું અનોખુ અભિયાન, જાણો કેવી છે કામગીરી
મુલાકાતીઓ દરિયાઈ સૃષ્ટિ નિહાળવા ત્રણ ચાર દિવસ પહેલા જામનગરના વન સંકુલમાં અરજી કરવાની રહેશે. પ્રવાસની તારીખનાં 1 દિવસ પહેલા વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે. જેમાં 10થી વધુ અને એક દિવસમાં સૌથી 100 વધુ લોકોને મંજૂરી અપાશે નહીં. તથા મુલાકાતનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે.
આ પણ વાંચો:National / આ રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે સ્કૂલો, ખુદ મુખ્યમંત્રીએ કરી જાહેરાત
મુલાકાતીઓ માટેની ગાઈડલાઈન્સ
- નાના બાળકો વૃદ્ધો તબીબી રીતે અસ્વસ્થ દિવ્યાંગ આ વિસ્તારની મુલાકાત ટાળવી,
- દરિયાઈ અભ્યારણ વિસ્તારમાં સાથે રહેલા વનવિભાગના સ્ટાફ, ગાઈડ, અધિકૃત માણસ વિના તથા નિયત કરવામાં આવેલ વિસ્તાર સિવાય કોઈ જગ્યાએ જઈ શકાશે નહી, કોઈપણ સંજોગોમાં રાત્રી રોકણની રવાનગી અપાશે નહી.
- હથિયાર, વિસ્ફોટક કે ઝેરી પદાર્થ, સાબુ શેમ્પુ કે અન્ય કોઈપણ બીજી કેમિકલનો ઉપયોગ, ધુમ્રપાન કેફી દ્રવ્યો પર પ્રતિબંધ
- કોઇ પણ પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા સાધનો જેવા કે રેડિયો સંગીત વાદ્ય, બ્લુટુથ સ્પીકર લઈ જઈ શકાશે નહીં
- પરમીટ ઇસ્યુ થયા બાદ કોઈપણ કારણોસર પ્રવાસ રદ્દ થાય તો તેની રકમ પરત મળવાપાત્ર થશે નહીં વગેરે
- જે વ્યક્તિના નામે પરમીટ ઇસ્યુ કરવામાં આવ્યું હશે તેના નામ સિવાય કે તેના બદલે કોઈ વ્યક્તિ દરિયાઈ અભયારણ્ય વિસ્તારની મુલાકાત લઇ શકશે નહીં
- મુલાકાતીઓ બોટ તથા જેટી કે પોર્ટ વિસ્તારમાં પોતાનું અંગત વાહનોનું રોકાણ કરી શકશે નહીં
- કોઈપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહીં, વન્યજીવન નિહાળવા ખડકો ઉચકાવી શકાશે નહીં.
- ફોટોગ્રાફી કરતી વખતે વન્યજીવોને સલામતી અને સુરક્ષાને લઇને તેનાથી યોગ્ય અંતરજાળ આવવાનું રહેશે ઉપરાંત ત્યાંથી કોઈપણ પ્રકારના શંખલા છીપલા અન્ય વસ્તુઓ સાથે લાવી શકાશે નહીં.