મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ દરોડા પાડીને 2.82 કરોડ રૂપિયા રોકડા અને 133 સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ મામલે દિલ્હીના સીએમ અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે, “આ સમયે વડાપ્રધાન તેમની તમામ શક્તિ સાથે આમ આદમી પાર્ટીની પાછળ છે. પરંતુ ભગવાન આપણી સાથે છે.”
AAP નેતા સંજય સિંહે પણ ટ્વિટ કરીને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, “સતેન્દ્ર જૈનના ઘરેથી કંઈ મળ્યું નથી. બળજબરીથી કોઈ નજીકના વ્યક્તિને સતેન્દ્ર જૈનને ફસાવવાનું કહે છે. સિંહે વધુમાં કહ્યું કે, સતેન્દ્ર જૈનના ઘરેથી કંઈ ન મળ્યું ત્યારે ભાજપ ગુસ્સે થઈ ગયું. કંઈ પણ આરોપ લગાવી રહ્યું છે. બે લાખ 79 લાખ સત્યેન્દ્રના ઘરેથી હજાર રૂપિયા મળ્યા છે. બાકી બધું જુઠ્ઠું છે.