ભારતની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ પહેલી વાર સ્ટેશન પર લેટ પહોંચી છે. હવે મોડુ થવાના કારણે મુસાફરોને વળતર આપવામાં આવશે શનિવારે આ ટ્રેન મોડી રાતથી બંને તરફ લેટ દોડી રહી હતી. આ દરમિયાન લખનઉથી દિલ્હી આવતી આ ટ્રેનમાં 451 મુસાફરો હતા અને દિલ્હીથી લખનઉ જઇ રહેલી ટ્રેનમાં 500 મુસાફરો હતા.
તેજસ એક્સપ્રેસનું નવી દિલ્હી સ્ટેશન પહોંચવાનો સમય બપોરે 12:25 છે. પરંતુ આ ટ્રેન બપોરે 3.40 વાગ્યે સ્ટેશન પર પહોંચી હતી. આ પછી રાત્રે આ ટ્રેન રાત્રે 11.40 વાગ્યે લખનઉ પહોંચી. જ્યારે તે રાત્રે 10:05 વાગ્યે પહોંચની હતી.
હવે આ બધા મુસાફરો મોડુ થવાને કારણે વળતર રૂ. 250 મળશે. આઈઆરસીટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોના ફોન પર એક લિંક મોકલવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરીને, મુસાફરો વળતરની રકમ ક્લેમ કરી શકે છે.
શું છે નિયમ?
મુસાફરોને ટ્રેન મોડું થાય તો આંશિક રિફંડ એટલે કે આંશિક રિફંડ આપવામાં આવશે. જો ટ્રેન 1 કલાકથી વધુ મોડી હોય તો મુસાફરોને 100 રૂપિયા રિફંડ બે કલાકથી વધુ મોડું થાય તો 250 રૂપિયાનું રિફંડ આપવામાં આવશે.
25 લાખનો વીમો
IRCTC અનુસાર, દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસના મુસાફરોને 25 લાખનો મફત રેલ મુસાફરી વીમો મળશે. બીજી બાજુ મુસાફરોને મુસાફરી દરમિયાન ચોરી અથવા લૂંટ માટે 1 લાખ રૂપિયાનો પ્રવાસ વીમો આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.