નવી દિલ્હીઃ 8 નવેંબરના રોજ રાષ્ટ્રના નામે સંબોધન કરી કાળાનાણા પર રોક લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. લોકોને પોતાની જૂની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30 ડિસેંબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેનો સમય પૂર્ણ થઈ ગયો છે, ત્યારે અવુ માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નોટબંધીને લઈને કોઈ મોટી જોહેરાત કરી શકે છે.
એવુ માનવામાં આવી રહ્યું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા પર પીએમ દેશની જનતાનો આભાર વ્યક્ત કરશે. આ સાથે જ 50 દિવસમાં સરકાર તરફથી શુ પગલા લેવામાં આવ્યા તેની પણ જાણકારી આપવામાં આવશે.
કેંદ્ર સરકાર ખેડૂતો, બેરોજગાર યુવાનો, બીપીઓલ યોજના અને પેંશન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંબોધનમાં તેના3 પર પણ કોઈ જાહેરાત કરી શકે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થર્ટી ફર્સ્ટની સધ્યાએ દેશને સંબોધન કરવાના છે. આ સંબોધનમાં તે નોટબંધી સંબધી કોઇ મોટી જાહેરાત થઇ શકવાની શક્યતા છે. તેમજ કોઇ મોટી લોકઉપયોગી જાહેરાત પણ કરી શકે છે. જેનાથી લોકોને નોટબંધી બાદ પડેલી મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે.