વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રાજાધાની દિલ્હીની અંદર આવતીકાલે જમ્મુ કાશ્મીરને લઇને એક મહત્વની બેઠક યોજાવાની છે. જેને લઇ ગૃહવિભાગ તરફતી સરહદથી લઇને જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના તમામ રાજકિય પક્ષોના નેતાઓ સામેલ થશે. બેઠક પહેલા જમ્મુ કાશ્મીરમાં ગુપકાર નેતાઓએ પણ ચર્ચા યોજી હતી. આ બેઠકમાં ફારુખ અબ્દુલ્લા પણ સામેલ થવાના હતા જોકે છેલ્લી ઘડીએ તેમણે પોતાનું નામ પાછું ખેંચ્યું છે.
- ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં થશે સામેલ
- બેઠક પહેલા હાઇસ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં બંધ કરાયું
- એલઓસી પર 48 કલાકનું એલર્ટ જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 જૂનના રોજ કાશ્મીરના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમા જમ્મુ-કાશ્મીરના ભવિષ્ય અંગે ચર્ચા થશે. બીજી બાજુ કાશ્મીરના રાજકીય પક્ષોના સંગઠન પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશનએ વડાપ્રધાન સાથે મુલાકાત કરવા અંગે નરમ વલણ અપનાવ્યું છે. જોકે આ બેઠક પહેલા ગુપકાર સંગઠને જે બેઠક યોજી હતી તેમાં સર્વસંમતિથી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35એ પર કોઇ સમજૂતિ નહીં કરવા પર સહમતિ સધાઇ હતી. 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ-જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું હતું.
- પીએમ મોદી તરફથી અપાયું નિમંત્રણ
- 8 રાજકીય પક્ષોના 14 નેતાને આમંત્રણ
- રાષ્ટ્રપતિ શાસન, ચૂંટણી અને કલમ 370 પર થશે ચર્ચા
હવે PM મોદીની મુલાકાતને કેન્દ્ર તરફતી જમ્મુ-કાશ્મીરમાં જમ્હુરિયત યથાવત રાખવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે 8 રાજકીય પક્ષોના 14 નેતાને બેઠકમાં બોલાવ્યા છે. 5 ઓગસ્ટ,2019 બાદ પ્રથમ વખત કેન્દ્ર કાશ્મીરી નેતાઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યું છે. તેને લીધે આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે. કેન્દ્ર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં ભાગ લેશે. ભાજપના જમ્મુ-કાશ્મીર યુનિટના પ્રમુખ રવિંદર રૈના, PDP મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના ચીફ અલ્તાફ બુખારી, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલા, CPM નેતા એમવાય તારિગામી, કોંગ્રેસના જમ્મુ-કાશ્મીર યુનિટના વડા જીએ મીર પણ ભાગ લેશે. જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ગુલામ બની આઝાદ અને ઉમર અબ્દુલ્લાને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે.