@ભાવિની વસાણી, રાજકોટ
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની દહેશત જોવા મળી રહી છે. તંત્ર દ્વારા નવા કેસોની સંખ્યાના આંકડા પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં બપોરે 12 વાગ્યા સુધીમાં શહેરમાં નવા કેસ નોંધાતા કુલ આંક 10,140 ઉપર પહોંચ્યો છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં આજે બપોર સુધીમાં વધુ 32 કેસો જોવા મળ્યા છે. જેથી કુલ મળી અને કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 10,140 થઈ છે.
ગઈકાલે 73 દર્દીઓને રજાઆપવામાં આવી હતી. ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9,254 થતાં રિકવરી રેટ 91.95 ટકા થયો છે. તેમજ રાજકોટના અત્યાર સુધીમાં 4,08314 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….