વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં વડા પ્રધાન મોદી ખુદ તેમની છત્ર પકડીને ઉભા જોવા મળે છે. વડા પ્રધાન મોદી તેમના મંત્રીમંડળના સાથીઓ પણ તેમની છત્રી જાતે જ લઈને ઉભેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરો ત્યારની છે જયારે વડા પ્રધાન મોદી, તેમના કેટલાક પ્રધાનો સાથે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા સંસદ ભવનની બહાર મીડિયાને સંબોધન કરવા પહોંચ્યા હતા અને વરસાદ પડી રહ્યો હતો.
ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ સત્ર ઉત્પાદક હોવું જોઈએ, અર્થપૂર્ણ ચર્ચા માટે સમર્પિત હોવું જોઈએ, જે જવાબ દેશના લોકો ઇચ્છે છે, તેનો જવાબ આપવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે, હું ઈચ્છું છું. તમામ માનનીય સાંસદોને અપીલ કરવા અને હું તમામ રાજકીય પક્ષોને આકરા અને તીક્ષ્ણ પ્રશ્નો પૂછવા વિનંતી કરીશ, પણ શાંત વાતાવરણમાં સરકારને જવાબ આપવાની તક આપો, જેથી સત્ય સુધી પહોંચીને સત્ય જનાર્દન સુધી પહોંચે, લોકશાહીને પણ શક્તિ મળે છે અને લોકોને પણ. આત્મવિશ્વાસ વધે છે અને દેશની પ્રગતિની ગતિ પણ વેગ મળે છે. “
આ પણ વાંચો :સપાનાં સાંસદ આઝમ ખાનની તબિયત એકવાર ફરી લથળી
મીડિયાને સંબોધન કરતાં વડા પ્રધાને કહ્યું કે, હું આશા રાખું છું કે દરેક લોકોને વેક્સિનનો એક ડોઝ લાગી ચુક્યો હશે. સદનના તમામ અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહે. વેક્સિન બાહુ (બાજુ) પર લાગે છે અને તમે બાહુબલિ બનો છો. અત્યાર સુધીમાં 40 કરોડ કરતા વધારે લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલિ બની ચુક્યા છે.
વડાપ્રધાને જણાવ્યું કે, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાની લપેટમાં લીધું છે, અમે ઈચ્છીએ છીએ કે આ મહામારીને લઈ સંસદમાં સાર્થક ચર્ચા થવી જોઈએ. વિપક્ષ દ્વારા જે પણ સૂચનો આપવામાં આવશે તેનાથી કોરોના સામેની લડાઈને ગતિ મળશે.
આ પણ વાંચો :શું છે આ Pegasus Spyware? જેને લઇને વિપક્ષ થયુ છે આક્રમક
વધુમાં પોતે કોરોના સાથે સંકળાયેલી સમસ્યા અંગે સાંસદોને જાણકારી આપવા માંગે છે તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, આ મુદ્દે ફ્લોર લીડર્સ સાથે વાતચીત થશે કારણ કે તેઓ સતત દરેક લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે, દેશની જનતા જે જવાબ ઈચ્છે છે, સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે અનેક મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી છે. કોરોના સંકટ, વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ સહિત અન્ય કેટલાય મુદ્દે વિપક્ષે સંસદમાં ચર્ચા માટે નોટિસ આપી છે અને સદનમાં તે અંગે હંગામો થવાની શક્યતા છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ‘Pegasus Spyware’ વિવાદનેે ગણાવ્યો નિરાધાર