PM Narendra Modi Gujarat Visit :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના પ્રવાસ દરમિયાન વિકાસ અને વિરાસતનો અનોખો સંગમ રચ્યો હતો. દિવસની શરૂઆતમાં પીએમ મોદીએ સોમનાથ ખાતે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ માં સહભાગી થઈને આસ્થાના દર્શન કર્યા હતા. ત્યારબાદ બપોરે રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે 7 જિલ્લાઓમાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી સ્માર્ટ GIDC ની ઐતિહાસિક જાહેરાત કરી હતી. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં આ નવી GIDC દ્વારા રોજગારીની નવી તકો ઉભી થશે.
રાજકોટના મંચ પરથી સંબોધન કરતા પીએમ મોદીએ તેમના જૂના વિઝનને યાદ કરતા જણાવ્યું હતું કે, “મેં વર્ષો પહેલા કહેલું કે મોરબી, જામનગર અને રાજકોટનું આ ત્રિકોણ એક દિવસ ‘મિનિ જાપાન’ બનશે. તે સમયે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે હું તે હકીકતને મારી નજર સામે જોઈ રહ્યો છું.” તેમણે રોકાણકારોને પ્રોત્સાહિત કરતા મંત્ર આપ્યો હતો કે, “યહી સમય હૈ, સહી સમય હૈ” અને ભરોસો આપ્યો હતો કે સૌરાષ્ટ્રમાં કરાયેલું ઇન્વેસ્ટમેન્ટ શાનદાર રિટર્ન આપશે. દિવસના અંતે પીએમ મોદીએ ગાંધીનગર પહોંચીને મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું, જેનાથી પાટનગરમાં મેટ્રો કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત થઈ છે.
06.38 PM
‘જનનાયક’ જનતાની વચ્ચે
ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીનું ભાવભીનું અભિવાદન ઝીલ્યું. મેટ્રો સ્ટેશન પરિસરમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા નાગરિકો અને કાર્યકરોએ ‘મોદી-મોદી’ ના ગગનભેદી નારા લગાવ્યા
06.35 PM
CM અને DyCM મેટ્રોની સવારી કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેટ્રોમાં બેસી મેટ્રો સ્ટેશનથી જૂના સચિવાલય મેટ્રો સ્ટેશન જશે
06.23 PM
પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગમન થઈ ચૂક્યું છે. પીએમ મોદી અહીં નવા નિર્મિત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કરશે. તેમના આગમન સાથે જ સમગ્ર પરિસર ‘મોદી-મોદી’ અને ‘જય સોમનાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું છે.
05.51 PM
ગાંધીનગરમાં મેટ્રોના ઉત્સાહ વચ્ચે ગરબાની રમઝટ
ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન પૂર્વે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ગરબાની રમઝટ બોલાવી.
05.42 PM
PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાત પૂર્ણ કર્યા બાદ હવે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી ચૂક્યા છે. જ્યાંથી તેઓ રોડ માર્ગે સીધા ગાંધીનગર જવા રવાના થશે. વડાપ્રધાનના આગમનને પગલે એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધીના માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાટનગરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
05.18 PM
PM મોદી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન
PM નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે ગાંધીનગરમાં વહેલી સવારથી જ ભારે જનમેદની ઉમટી પડી છે. મેટ્રો કનેક્ટિવિટીના આ નવા અધ્યાયને લીધે પાટનગરમાં પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. ઉદ્ઘાટન પ્રસંગે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલાકારો ગુજરાતની અસ્મિતા રજૂ કરશે. વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર મેટ્રો રૂટ અને સ્ટેશન પરિસરને આકર્ષક રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
04.29 PM
“તમારા રોકાણનો એક-એક પૈસો શાનદાર રિટર્ન આપશે”
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને ખાતરી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ ટેલેન્ટ અને સ્કીલ ડેવલપમેન્ટની આખી ઈકોસિસ્ટમ તૈયાર છે. ગતિશક્તિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની બે મોટી યુનિવર્સિટીઓના કેમ્પસ અહીં મેનપાવર તૈયાર કરી રહ્યા છે. આ સાથે જ પીએમએ ગુજરાતના પર્યટન ક્ષેત્રનો ઉલ્લેખ કરતા લોથલનું મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, ગીરના સિંહ, રણ ઉત્સવ અને બીચ ટુરિઝમની ક્ષમતા પર ભાર મૂક્યો હતો. તેમણે રોકાણકારોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “રોકાણ માટે અત્યારે જ શ્રેષ્ઠ સમય છે, જો મોડું કરશો તો મને દોષ ન આપતા. હું વિશ્વાસ અપાવું છું કે અહીં તમારા રોકાણનો એક-એક પૈસો શાનદાર રિટર્ન આપશે.”
04.16 PM
PM મોદીની ભવિષ્યવાણી સાચી પડી: “રાજકોટ, મોરબી અને જામનગર બન્યા મિનિ જાપાન”
રાજકોટમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, “વર્ષો પહેલા મેં ભવિષ્યવાણી કરી હતી કે રાજકોટ, મોરબી અને જામનગરનું આ ત્રિકોણ એક દિવસ ‘મિનિ જાપાન’ (Mini Japan) બનશે. તે સમયે ઘણા લોકોએ મારી આ વાતની મજાક ઉડાવી હતી, પરંતુ આજે હું મારી નજરે આ હકીકત જોઈ રહ્યો છું.” વડાપ્રધાને ઉમેર્યું કે સૌરાષ્ટ્રના આ ત્રણેય શહેરો આજે ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યા છે
04.08 PM
“યહી સમય હૈ, સહી સમય હૈ”
PM મોદીએ તેમના લાલ કિલ્લા પરથી આપેલા ઐતિહાસિક સંબોધનને યાદ કરતા ફરી એકવાર મંત્ર દોહરાવ્યો હતો કે, “યહી સમય હૈ, સહી સમય હૈ“. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે ભારત આજે વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે, તે જોતા ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે આ સુવર્ણ તક છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો મૂળ હેતુ પણ એ જ છે કે વિશ્વભરના રોકાણકારોને ભારતની તાકાતનો પરિચય થાય અને તેઓ આ શ્રેષ્ઠ સમયનો લાભ ઉઠાવી દેશના વિકાસમાં સહભાગી બને. પીએમએ ભારપૂર્વક કહ્યું કે રોકાણકારો માટે આ મંચ એ જ સંદેશ છે કે ભારત પ્રગતિના પંથે છે અને આ જ રોકાણ કરવાનો યોગ્ય સમય છે.
03.48 PM
PM મોદીનું સંબોધન, “વિકાસ પણ અને વિરાસત પણ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કેમ છો?’ કહીને પોતાના આગવા અંદાજમાં જનતાનું અભિવાદન કર્યું. અને PM મોદીએ જણાવ્યું કે, “2026ના પ્રારંભ બાદ આ મારો પ્રથમ ગુજરાત પ્રવાસ છે. અને તેની શરૂઆત સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ઝૂકાવીને થઈ છે, જે અત્યંત સુખદ છે. પીએમએ ‘વિકાસ પણ અને વિરાસત પણ’નો મંત્ર આપતા કહ્યું કે ભારત પ્રગતિની સાથે સંસ્કૃતિને પણ સાચવી રહ્યું છે. રાજકોટમાં આયોજિત વાયબ્રન્ટ રિજનલ સમિટના ભવ્ય આયોજનને બિરદાવતા તેમણે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂક્યો.
03.41 PM
વાઇબ્રન્ટ રિજનલ સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની સફળતા અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસના આંકડા રજૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને બિરદાવ્યું.
રોકાણનો રેકોર્ડ: છેલ્લા 24 વર્ષમાં ગુજરાતમાં 3.57 કરોડનું FPI આવ્યું.
MSME ક્રાંતિ: રાજ્યમાં MSME ની સંખ્યા 1.85 લાખથી વધીને 41 લાખ થઈ.
સૌરાષ્ટ્રનો દબદબો: 2024ની સમિટના કુલ MOU માંથી 25,500 MOU માત્ર સૌરાષ્ટ્રના હતા.
નવા હબ: ગુજરાત હવે સેમી કંડક્ટર, ગ્રીન એનર્જી અને ઓટો સેક્ટરમાં ગ્લોબલ લીડર
ODOP: ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો
03.31 PM
રાજકોટ વાયબ્રન્ટ રિજનલ સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાતો
‘રિલાયન્સ ગ્રુપ આગામી સમયમાં ગુજરાતમાં કુલ 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે’
વાયબ્રન્ટ રીજનલ સમિટમાં મુકેશ અંબાણીનું ભાવુક સંબોધન
‘ગ્રીન એનર્જીમાં જામનગર બનશે હબ’
‘રિલાયન્સ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી પર ખાસ ફોકસ કરશે’
‘જામનગર ઉર્જાનું કેન્દ્ર છે અને તેને વધુ વિકસિત બનાવવામાં આવશે’
‘કંપની હવે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી પર વિશેષ ધ્યાન આપી રહી છે’
‘દુનિયાના સૌથી મોટા સોલર પ્રોજેક્ટને રિલાયન્સ આગળ ધપાવશે’
‘ જામનગરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટેનું વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યું છે’
‘જીઓ (Jio) હવે AI ક્ષેત્રે વધુ સક્રિય બનીને મોટું વિસ્તરણ કરશે’
‘ઓલિમ્પિકના આયોજન માટે રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય’
‘ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ આશાવાદી અને સજ્જ છે’
12:35 PM
‘હર હર મહાદેવ, જય સોમનાથ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર હર મહાદેવ, જય સોમનાથ’ ના નારા સાથે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું, “સોમનાથમાં વિકાસ અને વારસો બંને છે.”
12:30 PM
“ગઝનીથી ઔરંગઝેબ સુધી, તેઓ ભૂતકાળમાં દફનાવવામાં આવ્યા હતા.”
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, “ગઝનીથી ઔરંગઝેબ સુધી, તેઓ ભૂતકાળમાં દફનાવવામાં આવ્યા હતા, પરંતુ સોમનાથ ત્યાં જ ઉભો છે.”
12:27 PM
ધાર્મિક કટ્ટરતાને સામાન્ય લૂંટ તરીકે વર્ણવવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “સોમનાથની પવિત્ર મૂર્તિનો નાશ કરવામાં આવ્યો હતો. સોમનાથનો ક્રૂર ઇતિહાસ છુપાયેલો હતો, અને ધાર્મિક કટ્ટરતાને સામાન્ય લૂંટ તરીકે વર્ણવવામાં આવી હતી.”
12:22 PM
આપણે દરેક જીવમાં શિવ જોઈએ છીએ – પીએમ મોદી
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, “આપણે એવા લોકો છીએ જે દરેક જીવમાં શિવને જુએ છે.”
12:18 PM
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ
પીએમ મોદીએ કહ્યું કે સોમનાથ મંદિરની બહાદુરીની ગાથા ૧૦૦૦ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે, સાથે જ તેના પુનર્નિર્માણના ૭૫ વર્ષ પણ પૂર્ણ કરી ચૂકી છે.
12:16 PM
પીએમ મોદી – ‘આપણા પૂર્વજોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો’
આપણા પૂર્વજોએ પોતાના મહાદેવ માટે બધું જ બલિદાન આપ્યું. તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો.
12:00 PM
પીએમ મોદીનું સંબોધન શરૂ

સોમનાથ મંદિરમાં પૂજા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન શરૂ થયું છે. પ્રધાનમંત્રી મોદીએ ‘જય સોમનાથ’ ના નારાથી પોતાના સંબોધનની શરૂઆત કરી.
12:00 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી મોદીને ‘યુગ પુરુષ’ કહ્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું અને તેમને ‘યુગ પુરુષ’ કહ્યા.
11:58 AM
PM મોદીએ ઢોલ અને ઝાંઝ વગાડ્યા

પીએમ મોદીએ ગુજરાતના લોકો સાથે ઢોલ અને ઝાંઝ વગાડ્યા. તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વનો આનંદ માણતા પણ જોવા મળ્યા.
11:57 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા પૂર્ણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા પૂર્ણ કરી અને તેમના શિષ્યો સાથે મંત્રોચ્ચાર કર્યા. પ્રધાનમંત્રી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે.
11:55 AM
ગીર સોમનાથમાં શૌર્ય સભા
સોમનાથ (Somnath) સ્વાભિમાન પર્વ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી શૌર્ય યાત્રા હંમેશા યાદગાર રહેશે. તેમણે કહ્યું કે સોમનાથ કોઈ સાધારણ મંદિર નથી, પરંતુ તે સમગ્ર દેશના સ્વાભિમાનનું પ્રતિક છે. સંઘવીએ આક્રમણ કરનાર મહમૂદ ગઝનવીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આક્રમણ કરનાર વિખેરાઈ ગયા, જ્યારે સોમનાથ આજે પણ અજેટ અને અતૂટ ઊભું છે.
11:53 AM
DyCM હર્ષ સંઘવીનું નિવેદન
હમીરજી ગોહિલના પરાક્રમને એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા તેમણે કહ્યું કે સોમનાથને બચાવવા અનેક લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. સંઘવીએ ઉમેર્યું કે વડાપ્રધાન મોદીનો સંકલ્પ આજે ભારતની નીતિ બની ગયો છે, જેનું ઉત્તમ ઉદાહરણ ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણથી મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિમાલયથી લઈને દેશના દક્ષિણ છેડા સુધી તીર્થસ્થાનોના જીર્ણોદ્ધાર દ્વારા ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પુનર્જાગરણ થયું છે.
11:50 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત
સોમનાથ મંદિરની વાર્તા વિનાશની વાર્તા નથી; સોમનાથ અસત્ય સામે ન નમવાનો વારસો છે. મોદીએ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ ઘણા કાર્યો કર્યા છે; ઘણા મંદિરો પર વિકાસ કાર્ય કરવામાં આવ્યા છે. યાત્રાધામોનો વિકાસ એ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ છે.
11:48 AM
સભા સ્થળ પરથી મુખ્યમંત્રીનું નિવેદન
સોમનાથ સ્વાભિમાન પર્વ એ રાષ્ટ્રના સ્વાભિમાનનો તહેવાર છે. સોમનાથ ભારતના આત્માનું પ્રતીક છે. મંદિરને તોડવાના પ્રયાસો થયા, પરંતુ કોઈ ભારતની શક્તિને તોડી શક્યું નહીં. વીર હમીરજી ગોહિલ અને અન્ય લોકોએ ભગવાન સોમનાથ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું.
11:47 AM
હર્ષ સંઘવીએ કહી આ વાત
આક્રમણખોર ગઝનવીનો પરાજય થયો. પીએમ મોદીએ ભવ્ય રામ મંદિર બનાવ્યું છે. પ્રધાનમંત્રીએ વિકાસ પણ લાવ્યો છે અને આપણા વારસાનું જતન પણ કર્યું છે. તેમણે દેશના કરોડો યુવાનોને રોજગાર પણ આપ્યો છે.
09:45 AM
હજારો લોકોએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું
આજે, પ્રધાનમંત્રી મોદીએ સોમનાથમાં “શૌર્ય યાત્રા” (શૌર્યની યાત્રા) શરૂ કરી, જે શંખ સર્કલથી શરૂ થઈને વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધી પહોંચી, જેમાં 108 ઘોડાઓ હતા. ગૌરવની આ ઐતિહાસિક યાત્રામાં 108 ઘોડેસવારો અને સેંકડો લોકો સામેલ હતા. સમગ્ર રૂટ પર અને એસેમ્બલી પોઈન્ટ પર કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શૌર્ય યાત્રાને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ હતો. પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં ડમરુ (એક નાનો ઢોલ) લઈને યાત્રા માટે પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રીએ ઢોલના નગારા સાથે ખુલ્લી જીપમાં સોમનાથ (Somnath)ના રસ્તાઓ પર શોભાયાત્રામાં ભાગ લીધો છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ હતા. આ શોભાયાત્રામાં ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 ઘોડા પણ ભાગ લઈ રહ્યા છે. સાધુઓ અને સંતો પણ શોભાયાત્રામાં જોડાયા છે. સોમનાથના રસ્તાઓ પર હજારો લોકોએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. પરંપરાગત પોશાક પહેરેલા પોલીસ કર્મચારીઓએ પણ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. શોભાયાત્રા સાંસ્કૃતિક પરંપરાઓના પ્રદર્શન સાથે શરૂ થઈ હતી. પીએમ મોદીએ ખુલ્લી જીપમાંથી લોકોનું સ્વાગત કર્યું. શોભાયાત્રા પછી, પ્રધાનમંત્રી મોદી સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રાર્થના કરશે.
પાટડીના મુખ્ય તળાવને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ગુજરાતને 24 કલાક વીજળી મળી છે, જેના કારણે ખેડૂતો આધુનિક સાધનો સાથે સારો પાક મેળવી શકે છે. પાટડી નગરપાલિકા વિસ્તારમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે પાટડીના મુખ્ય તળાવને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, જેમાં વોકિંગ ટ્રેક અને નાગરિકો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા છે. આ સાથે, આજે તળાવની બાજુમાં એક સુંદર બગીચાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મંત્રીએ ખાતરી આપી હતી કે આ તળાવને અમદાવાદના કાંકરિયા તળાવ જેટલું સુંદર બનાવવામાં આવશે અને બીજા અને ત્રીજા તબક્કાનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
PM મોદીએ X પર કરી ટ્વિટ
Somnath stands as a beacon of eternal divinity. Its sacred presence continues to guide people across generations. Here are highlights from yesterday’s programmes, including the Omkar Mantra chanting and drone show.#SomnathSwabhimanParv pic.twitter.com/lCZxiaauMp
— Narendra Modi (@narendramodi) January 11, 2026
ગઈકાલની ઘટનાઓની એક અનોખી ઝલક આપતા, સોમનાથ કાયમી દિવ્યતાના પ્રતીક તરીકે ઊભું છે, તેની પવિત્ર હાજરી પેઢીઓને માર્ગદર્શન આપે છે.
8:45 AM
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ
પીએમ મોદી આજે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે, અને પીએમ મોદી સાથે વિવિધ દેશોના અનેક રાજદૂતો હાજર રહેશે. 5,000 થી વધુ ઉદ્યોગ નેતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ પણ હાજરી આપશે. આ સમિટ પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક, કૃષિ અને ઉર્જા ક્ષમતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. પ્રવાસન, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનો યોજાશે, અને સંરક્ષણ અને સ્ટાર્ટઅપ ક્ષમતાને વૈશ્વિક પ્લેટફોર્મ મળશે.
ટ્રેડ શો અને પ્રદર્શનોનું પણ આયોજન કરવામાં આવશે. એક MSME કોન્ક્લેવ પહેલાથી જ યોજાઈ ચૂક્યું છે, અને વિક્રેતા વિકાસ કાર્યક્રમો અને રાઉન્ડ ટેબલ ચર્ચાઓ યોજાશે. ઉદ્યોગમાં મહિલા સશક્તિકરણ, નીતિ સંવાદો અને બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર્સ અને ગ્રીન ડેવલપમેન્ટ પર ચર્ચાઓ પર કાર્યક્રમો યોજાશે. સિરામિક્સ, ઓટોમોટિવ અને મત્સ્યઉદ્યોગ ઉદ્યોગોમાં તકોની ચર્ચા કરવામાં આવશે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ ખરીદનાર-વેચાણકર્તા મીટ, સાંસ્કૃતિક અને કલા પ્રદર્શનો અને ઉદ્યોગસાહસિકતા મેળો યોજાશે.
આ પર્વ ભારતની સભ્યતાની અદમ્ય હિંમત અને વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવાનું પ્રતીક છે.સોમનાથ (Somnath) મંદિર, જેને ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે, તેના પર અનેક વખત આક્રમણો થયા છે. 1026માં મહમૂદ ગઝનવીના આક્રમણથી શરૂ થયેલી આ શ્રેણીમાં મંદિરને અનેક વખત તોડવામાં આવ્યું, પરંતુ ભારતીય જનતાની અદમ્ય ભાવનાએ તેને વારંવાર પુનર્નિર્માણ કર્યું. આ વર્ષે આ પર્વ દ્વારા તે વીરોને યાદ કરવામાં આવી રહ્યા છે જેઓ મંદિરના રક્ષણ માટે પોતાના પ્રાણ આપ્યા.

સોમનાથ (Somnath) પહોંચીને ઓમકાર મંત્ર જાપમાં ભાગ લીધો
પર્વમાં 24 કલાક સતત ઓમકાર મંત્ર જાપ, સાંસ્કૃતિક પ્રદર્શનો અને 3000 ડ્રોન્સનો ડ્રોન શો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ ગઈ કાલે સાંજે સોમનાથ (Somnath) પહોંચીને ઓમકાર મંત્ર જાપમાં ભાગ લીધો અને ડ્રોન શોનું અવલોકન કર્યું.
આજના દિવસનું મુખ્ય આકર્ષણ ‘શૌર્ય યાત્રા’ છે, જે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત 108 અશ્વો સાથે આયોજિત કરવામાં આવી છે. આ યાત્રામાં પોલીસ જવાનો સાંસ્કૃતિક વેશભૂષામાં ઘોડેસવારી કરીને જોડાયા છે, જે મંદિરના રક્ષણમાં શહીદ થયેલા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવાનું પ્રતીક છે.યાત્રા શંખ સર્કલથી શરૂ થઈને હમીરજી ગોહિલની પ્રતિમા સુધી લગભગ 2 કિલોમીટર સુધી ચાલી છે. વડાપ્રધાન મોદીએ સવારે 9:45 વાગ્યે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.

