Pm news : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ડિસેમ્બર(december)ના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. અને ત્યારે તેઓ સવારે લગભગ 11:15 કલાકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.
Pm પશ્ચિમ બંગાળમાં આશરે રૂ. 3,200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ રૂ. 3,200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. Pm નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં NH-34 ના 66.7 કિલોમીટર લાંબા 4-લેનિંગ બારાજાગુલી-કૃષ્ણનગર સેક્શનનું ઉદ્ઘાટન કરશે. તેઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં NH-34 ના 17.6 કિલોમીટર લાંબા 17.6 કિલોમીટર લાંબા બારાસત-બારાજાગુલી સેક્શનના 4-લેનિંગ માટે શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી નાદિયા જિલ્લામાં NH-34ના 66.7 કિલોમીટર લાંબા 4-લેનિંગ બારાજાગુલી-કૃષ્ણનગર સેક્શનનું ઉદ્ઘાટન કરશે
આ પ્રોજેક્ટ્સ કોલકાતા (kolkata)અને સિલિગુડી (siligudi)વચ્ચે એક મહત્વપૂર્ણ જોડાણ કડી તરીકે સેવા આપશે. તેઓ મુસાફરીનો સમય આશરે 2 કલાક (hour)ઘટાડવામાં મદદ કરશે, વાહનોની ઝડપી અને સરળ અવરજવર સુનિશ્ચિત કરશે જેથી ટ્રાફિકનો પ્રવાહ અવરોધરહિત રહેશે, વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે અને કોલકાતા અને પશ્ચિમ બંગાળના અન્ય પડોશી જિલ્લાઓ તેમજ પડોશી દેશો વચ્ચે જોડાણમાં સુધારો થશે. આ પ્રોજેક્ટ્સ પ્રદેશમાં આર્થિક વિકાસને પણ વેગ આપશે અને સમગ્ર પ્રદેશમાં પ્રવાસનના વિકાસને વેગ આપશે.
વડાપ્રધાન ઉત્તર 24 પરગણા જિલ્લામાં NH-34ના 17.6 કિલોમીટર લાંબા 4-લેનિંગ બારાસાત-બારાજાગુલી સેક્શનનો શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ્સ કોલકાતા અને સિલિગુડી વચ્ચે એક મહત્વપૂર્ણ જોડાણ તરીકે સેવા આપશે.
આ પણ વાંચો: ઇથોપિયાની સંસદમાં PM મોદીએ વૈશ્વિક વ્યવસ્થાઓમાં સુધારાની માંગ કરી
આ પણ વાંચો: PM મોદી જોર્ડનથી શરૂ કરશે ત્રણ દેશોના પ્રવાસે, વેપાર અને રાજદ્વારી સંબંધો મજબૂત થશે
આ પણ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજ કૌશલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

