લોકસભા ચૂંટણી 2019 ના સાતમા અને અંતિમ તબક્કાનાંં પ્રચાર પડધમ શાંત થતા PM મોદી કેદારનાથ યાત્રા પર પહોંચી ગયા છે. બાબા કેદારની ઉપાસના 17 મિનીટ લાંબી પૂજા-અર્ચના કર્યા પછી, PM મોદી વિશેષ કેશરીયા પોશાકમાં વરસતા વરસાદનમાં 1.5 કિ.મી ચાલીને એક ટોકરી પરની ગુફામાં પહોંચી ગયા છે. કેદારનાથમાં અચાનક મોસમે પલટો લેતા વરસાદ શરૂ થયો હતો, તો PMએ વરસાદ સામે બાથ ભીડવા એક હાથમાં છત્રી અને એક હાથમાં વિશેષ લાકડી ઉઠાવી લીધી હતી અને કેદારનાથ નજીક આવેલી વિશેષ “ગરુડચટ્ટી” નામક ગુફામાં દેશની શાંતી અને સુખાકાર માટે તપ કરવા પહોંચી ગયા છે.
PM જે “ગરુડચટ્ટી” ગુૃુફામાં 20 કલાકનું રોકાણ કરી ધ્યાન કરી રહ્યા છે તે ગુફા PM મોદીને વિશેષ પ્રિય છે અને પહેલા પણ તેઓ આ ગુફામાં ધ્યાન ઇત્યાદી કરી ચૂંક્યા છે. જો કે આ ગુફા પાછલા વર્ષોમાં આવેલ ભારે પૂરને કારણે ખંડીત થઇ ગઇ હતી, તે PM માટે ફરી 8.5 લાખના ખર્ચે ફરી બનાવવામાં આવી છે. આ ગુફા 5 મીટર લાંબી અને 3 મીટર પહોડી છે અને ધ્યાન અને તપ માટે પ્રસિદ્ધિ છે.
વયો વૃદ્ધ જ્યોતિષ શાસ્ત્રી શ્રીનિવાસનાં જણાવ્યા મુજબ કેદારનાથ યાત્રામાં ગરુડચટ્ટી ગુફાનું ખાસ ધાર્મિક મહત્વ છે. આ સ્થાન આધ્યાત્મિ ઉન્નતિ કતા અને ધ્યાન માટે જાણીતું છે. સેંકડો સંતો દ્રારા સેંકડો દાયકાથી મનની શાંતિ માટે અહીં આવી રહ્યા ધ્યાન કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે આ જગ્યા બાબતે ખુદ PM મોદીએ પણ પાતાની વાતમાં ઘણી વખત ઉલ્લેખ કર્યો છે. PM 1985 થી 1990ના પાંચ વર્ષ દરમિયાન ગરુડચટ્ટીમાં સાધુ જેવા રીતે રહેલા છે અને યોગ, ધ્યાનનો અભ્યાસ કરેલો છે. તો 34 વર્ષ પછી PM ગરૂડચટ્ટીમાં ધ્યાન કરવા ફરી પધાર્યા છે.