વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નાના ભાઇ પ્રહલાદ મોદીની પત્નિ ભગવતીબેન મોદીનું બુધવારે સવારે નિધન થયુ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ તે છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
વડાપ્રધાન મોદીનાં કુલ ચાર ભાઇઓ છે. જેમા પ્રહલાદ મોદી નરેન્દ્ર મોદીથી બે વર્ષ નાના છે. પ્રહલાદ મોદીની પત્નિનું ભગવતીબેન 55 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમની મૌતથી પરિવારજનોમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
ભગવતીબેનનાં શવને થલતેજનાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર આપવામાં આવશે. વડાપ્રધાન મોદી તેમના અંતિમ દર્શનાર્થે આવશે કે નહી તે હજુ સ્પષ્ટ નથી.