Loksabha Election 2024/ ચૂંટણી સમયે પક્ષ પલટુ ઉમેદવારોની લોકપ્રિયતા અને સફળતાનો દરમાં ઘટાડો, સર્વેમાં થયો ખુલાસો

લોકસભા ચૂંટણીને લઈને પક્ષ પલટુ ઉમેદવારોને લઈને એક સર્વ કરવામાં આવ્યો. આ સર્વેમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની લોકપ્રિયતા અને સફળતાનો દર સતત ઘટી રહ્યો હોવાનો થયો ખુલાસો

Top Stories India
YouTube Thumbnail 2024 03 21T162942.676 ચૂંટણી સમયે પક્ષ પલટુ ઉમેદવારોની લોકપ્રિયતા અને સફળતાનો દરમાં ઘટાડો, સર્વેમાં થયો ખુલાસો

લોકસભા ચૂંટણી : પક્ષ બદલીને ચૂંટણી લડનારા ઉમેદવારોની લોકપ્રિયતા અને સફળતાનો દર સતત ઘટી રહ્યો છે. પોતાનો પક્ષ બદલીને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડનારા ઉમેદવારોની જીતમાં ક્રમશ ઘટાડો થયો છે. અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા દ્વારા લોકસભાની ચૂંટણીઓને એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વેનું વિશ્લેષણ દર્શાવે છે કે તાજેતરની ચૂંટણીઓમાં પક્ષપલટો કરનારા ઉમેદવારોનો સ્ટ્રાઇક રેટ 15 ટકાથી ઓછો હતો, જ્યારે 1960ના દાયકાથી તે સરેરાશ 30 ટકા જેટલો હતો. આ અભ્યાસમાં માત્ર એવા નેતાઓનો સમાવેશ થાય છે જેમણે પાર્ટી બદલી અને સામાન્ય ચૂંટણી લડી હોય.

દલ બદલુ ઉમેદવારોને લઈને સર્વે

1977ની ચૂંટણીમાં પક્ષો બદલતા રાજકારણીઓનો સ્ટ્રાઈક રેટ 68.9 ટકાની ટોચે પહોંચ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં આ સરેરાશ ઘટીને 14.9 ટકા થઈ ગઈ. સંશોધનમાં, 2019 માં અલગ-અલગ રાજકીય પક્ષોમાં પક્ષ બદલનારા 195 ઉમેદવારોની ઓળખ કરવામાં આવી હતી અને તેમના પર આ સંશોધન કરવામાં આવ્યું હતું. જો કે, ચૂંટણી લડતા 8,000 થી વધુ ઉમેદવારોમાં પક્ષપલટોનો હિસ્સો 2.4 ટકા હતો. આ પક્ષપલટોમાંથી માત્ર 29ને જ જીત મળી હતી. 2004 સુધી, ટર્નકોટ ઉમેદવારોની જીતની ટકાવારી ઘણી ઊંચી હતી. તે સમયે આ સંખ્યા 26.2 ટકા હતી. 2004 માં, કુલ ઉમેદવારોમાંથી 3.9 ટકા ટર્નકોટ હતા.

1977ની ચૂંટણીએ કોંગ્રેસના સભ્યો (જેમાંના ઘણાને કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીએ જેલમાં ધકેલી દીધા હતા), સમાજવાદીઓ, જનસંઘ અને ખેડૂત નેતાઓ સહિત અનેક વિવિધ રાજકીય દળોને એકસાથે લાવ્યા. 1980માં જ્યારે ઈન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા ત્યારે પક્ષપલટો કરનારાઓની સૌથી વધુ સંખ્યા હતી. તે સમયે, 4,629 ઉમેદવારોમાંથી, 377 અથવા 8.1 ટકા પક્ષપલટા હતા.  પક્ષપલુટોઓની સંખ્યા 1977માં 2,439 ઉમેદવારોમાંથી (6.6 ટકા) 161 ટર્નકોટ કરતાં વધુ હતી. 1980માં, પક્ષપલટોનો સફળતા દર 20.69 ટકા ઓછો હતો. સતત ત્રણ ચૂંટણીમાં તે 15 ટકાથી ઓછો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 1984માં તેની પ્રથમ ચૂંટણી લડી હતી. ત્યારથી, કોંગ્રેસ સાથે સરખામણી અલગ વલણો દર્શાવે છે.

પક્ષપલટુઓની થઈ જીત
કોંગ્રેસે 1984માં 32 ટર્નકોટ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી 26 જીત્યા હતા. આનાથી 1984માં કોંગ્રેસમાં પક્ષપલટો કરનારા ઉમેદવારોની સફળતાનો દર વધીને 81.3 ટકા થયો હતો. આ સફળતા ઈન્દિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસની તરફેણમાં સહાનુભૂતિની લહેરને કારણે હતી, જેણે પાર્ટીને 400 થી વધુ બેઠકો જીતવામાં મદદ કરી.

બીજેપી કર્યો વિકાસ
ભાજપની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 62 ઉમેદવારોએ અલગ અલગ ઝંડા હેઠળ ચૂંટણી લડી હતી. 1984માં ભાજપનો સફળતાનો દર શૂન્ય ટકા હતો. જોકે પછીના દિવસોમાં ભાજપની સંખ્યા વધી અને કોંગ્રેસની સંખ્યા ઘટી. 2019માં ભાજપમાં આવા સફળ ઉમેદવારોનો હિસ્સો 56.5 ટકા હતો જ્યારે કોંગ્રેસમાં તે માત્ર 5 ટકા હતો. 2014ની સરખામણીમાં 2019માં પક્ષપલટો કરનારા ઉમેદવારોની જીતની ટકાવારી ઘટી છે.

ભાજપમાં ઘણા પક્ષપલટુઓની થઈ જીત
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાં પક્ષપલટો કરનારા ઉમેદવારોનો સફળતા દર 66.7 ટકા હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 5.3 ટકા જ જીત મળી છે. 2019 દરમિયાન, ભાજપમાં પક્ષપલટો કરનારા ઉમેદવારોની જીતની ટકાવારી 5.3 હતી. કોંગ્રેસમાં 9.5 ટકા પક્ષપલટુની જીત થઈ. વર્તમાન સાંસદો સિવાય ઘણા પૂર્વ સાંસદો પણ 2024ની સામાન્ય ચૂંટણીમાં લડી રહ્યા છે. કેટલાક એવા પણ છે જેમણે તાજેતરમાં પક્ષ બદલ્યો છે. ભાજપે તેલંગાણાના ચેવેલ્લાથી પૂર્વ બીઆરએસ સાંસદ કોંડા વિશ્વેશ્વર રેડ્ડીને અને ભોંગિરથી બી નરસિમ્હાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે વર્તમાન સાંસદ સોયમ બાપુ રાવની જગ્યાએ આદિલાબાદથી પૂર્વ BRS સાંસદ ગોડમ નાગેશને મેદાનમાં ઉતાર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ

આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે