પોરબંદર જીલ્લાના કુત્યાણા ગામથી ગુમથયેલ મેણદભાઇ નાથાભાઇ તારીખ 06/12/2019 ના રોજ ગુમ થયાની ફરીયાદ કુતિયાણાના પોલિસ સ્ટેશન માં નોંધવી હતી. ત્યારબાદ કુતિયાણાના પોલીસે શોધખોળ શરુ કરી હતી. પોલીસ ને શંકા જતા અજય નામના એક યુવકની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન તેણે હત્યા નો ગુનો કબુલ કરી લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કુતિયાણાના પોલિસે જુનાગઢ એસ પી તેમજ તેમના પોલીસ સ્ટાફ ને ગુમ થયાની ફરીય અંગે જન કરીહતી. જાણ કરતા ગુમથયેલ મેણદભાઇ ના લોકેશન ની શોધ ખોળ કરવામાં આવી હતી. ગુમ થયેલ યુવાનની શોધખોળ દરમીયાન ડેડબોડી કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. આ યુવક ની હત્યા પલાસ્વા ગામ પાસે આવેલ ખાણ પાસે મામાદેવ ની ઓરડી પાસે કરવા માં આવેલ હતી ,સોનાની ડીલ માં ફ્રોડ ના કારણે મૃતક ને આ ખાળ માં લઇ જઈ લોખંડ ના પાઈપ અને લાકડી વડે માથા ના ભાગે મારતા મૃતક બેભાન થઇ ગયો હતો. અને ત્યારબાદ તેનું મૃત્યુ થતાં આરોપી એ ત્યાજ ખાળ માં ઘટના સ્થળે થી થોડી દૂર ખાડો ખોદી અને લાશ ને દાટી દીધી હતી. જે લાશ ને હાલ પોસ્ટ ર્મોટમ માટે જામનગર ફોરેન્સિક લેબમાં મોકલવા માં આવેલ છે
હાલ એક આરોપીની ધરપકડ કરી પ્રાથમિક પુછપરછ દરમિયાન તેણે અન્ય પાંચ જણા આ હત્યા કેસમાં સામેલ હોય તેવું જણાવ્યું હતું. હત્યાનું કારણ સોનાના બિસ્કીટ ની લેવડ દેવડ માં ફ્રોડ થયું હોવાનું બહાર આવ્યું હતું. સોનાની આ ડીલમાં વાંધો પડતાં હત્યા કરી હોય તેવી કબુલાત આપી હતી. હાલ આગળ ની તપાસ જુનાગઢ એસપી તેમજ કુતિયાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ એ જૂનાગઢ ક્રરાઈમ બ્રાન્ચ એ આરોપી ને જૂનાગઢ ના ઇવનગર રોડ પર આવેલી ડમ્પયાર્ડ પાછળ ની વાડી માંથી પકડી પાડયા છે. ચારેય આરોપી જૂનાગઢ ની સિંધી સોસાયટી ના હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.