Not Set/ પોરબંદર : મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઐતિહાસિક ફોટો પ્રદર્શન

2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ. આ દિવસની દેશ આખામાં જુદી જુદી રીતે ઉજવણી થાય છે. બાપુના જન્મસ્થળ પોરબંદર ખાતે પણ તેમની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ઐતિહાસિક ફોટો પ્રદર્શન પોરબંદર ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. મહાત્મા ગાંધીના જીવન વૃતાંત ઉપર આ ફોટો પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ […]

Top Stories Gujarat Others

2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ. આ દિવસની દેશ આખામાં જુદી જુદી રીતે ઉજવણી થાય છે. બાપુના જન્મસ્થળ પોરબંદર ખાતે પણ તેમની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ઐતિહાસિક ફોટો પ્રદર્શન પોરબંદર ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. મહાત્મા ગાંધીના જીવન વૃતાંત ઉપર આ ફોટો પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યુ છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતિની ઉજવણીને લઈને પોરબંદરમાં વિવિધ કાર્યક્રમો યોજવામા આવી રહયા છે ત્યારે નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે મહાત્માગાંધીજીના વૃતાંતના પ્રેરક ઐતિહાસિક ફોટોગ્રાફનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

જીલ્લા અભિલેખાગાર કચેરી અને જીલ્લા શિક્ષાણ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે ગાંધીજીના જીવન ઉપર ખાસ ફોટો પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં ગાંધીજીની બાળપણની તસ્વીરોની સાથે સાથે દક્ષિાણ આફ્રિકાના પ્રવાસને પણ આવરી લેવામાં આવ્યો છે.

જાહેર જનતા આ ફોટોગ્રાફનું પ્રદર્શન ર૧ સપ્ટેમ્બર સુધી સવારના ૧૧ થી સાંજના પ વાગ્યા સુધી આ ફોટો પ્રદર્શનને નિહાળી શકાશે.આ પ્રદર્શન નિહાળવા માટે પોરબંદરવાસીઓને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.