કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રના રાજકીય ઉથલ પાથલને લીધે રાજ્યપાલની ચાલ્બીને નુકશાન થતા નુકસાનની ભરપાઇ માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની બદલી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા કોશ્યારીની જગ્યા લઈ શકે છે.
મિશ્રા હિમાચલ પ્રદેશથી બદલી થયા અને 9 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના રાજ્યપાલ બન્યા. કોંગ્રેસે ઉત્તરાખંડના સીએમ અને રાજ્યસભાના સદસ્ય રહી ચુકેલા કોશ્યારીની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે. પક્ષના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, રાજ્યપાલે બંધારણ, નિયમો, કાયદા, દાખલા અને પરંપરાઓની કોઈ પરવા નથી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.