Not Set/ સ્વસ્થ જીવન માટે સબંધોને સાચવો

સબંધને સાચવતા અને તેમાં જીવતા શીખવુ તે જીવનનું પહેલુ અધ્યન છે

Lifestyle
WhatsApp Image 2021 05 11 at 5.29.37 PM સ્વસ્થ જીવન માટે સબંધોને સાચવો

આજના આધુનિક જીવનમાં એક પછી એક સાચા સબંધો મરતા જાય છે અને લાગણી વિહોણા, માત્ર નામના જ કહી શકાય તેવા કૃત્રિમ સબંધોનો જન્મ થતો રહે છે. પરંતુ કોઇ દિવસ આપણે વિચારીએ છીએ ખરા કે અનેક સુગંધથી ભરેલા તરોતાજા સબંધ વિલીન કેમ થઇ રહ્યા છે. એવા તો કયા પરીબળો છે જે આજના યુગમાં સબંધોનો ભોગ લઇ રહ્યા છે.

સર્વે કહે છે..
એક સર્વે અનુસાર ૩૦ ટકા લોકોને અંગત સબંધ સાચવવામાં રસ છે જ્યારે ૨૦ ટકા લોકો એવુ માને છે કે, જીવનમાં ગમે તેટલા આગળ વધીએ પરંતુ રીલેટીવ વીનાનું જીવન નકામુ છે. જ્યારે સાડાસાત ટકા લોકો કોઇ પણ ભોગે સબંધોને હંમેશા જીવંત રાખવા માંગે છે. પરંતુ ૪૩ ટકા લોકો એવુ માની રહ્યા છે કે સબંધ નીભાવવા જોઇએ.. પણ એટલી હદે પણ નહી કે પાછળથી તમને એમ લાગે કે કાશ મે આમ ના કર્યુ હોત તો સારૂ.

શુ કહે છે ડોક્ટર..
આ વીશે વાત કરતા ડોક્ટર અનિકેત શાહ કહે છે કે, “કોઇ પણ સબંધને ટકાવી રાખવા માટે આત્મમંથન કરવુ જરૂરી છે. એવા કયા ગુણ પોતાની અંદર છે જેના કારણે તમારા સાથી કે અન્ય સહકર્મી તમારી સાથે જોડાઇ રહેવાનું પસંદ કરે. પોતાને પારખવા માટે સ્વયંમ સિવાય કોઇ ઉત્તમ નથી. પોતાની જાતને બીજાની સાથે સરખાવતા અથવા તો બીજા મારા વીશે આવુ જ વિચારે છે જેવી ખોટી માન્યતામાં રહીને ડીપ્રેશનનો ભોગ બની જવુ યોગ્ય નથી. ખોટા વિચારોથી એક બે નહી પણ ઘણા બધા સબંધો દાવ પર લાગી જાય છે.”
અહીં વાત માત્ર પતી-પત્ની નથી પરંતુ એવા દરેક રીલેશન જે તમારા જીવનને સ્પર્શ કરે છે. હું છુ તુ તારે ચીંતા ના કર એવુ કહેનાર કોઇ ના હોય ત્યારે હિંમતથી આગળ વધવાની ઝંખના મરી પરવારે છે. માટે જ સબંધને સાચવતા અને તેમાં જીવતા શીખવુ તે જીવનનું પહેલુ અધ્યન છે.
સબંધને જીવંત રાખવા આત્મ વિશ્લેષણ જરૃર

ઇમાનદારઃ કોઇ પણ સબંધને દીર્ધકાલીન સુધી કાયમી રાખવા માટે જરૂરી છે કે સબંધોમાં ઇમાનદારી હોય. ઇમાનદારીના કારણે લોકોનો વિશ્વાસ આપણા પર ટકી રહે છે.

સ્પષ્ટ વાતચીતઃ સબંધ એ ભુલ નથી માટે તેને દિલથી નિભાવવો જોઇએ. કોઇની વાત ગમતી ના હોય તો તેને સ્પષ્ટ કહેવુ જરૂરી છે. તે મારા વિશે શુ વિચારશે તેમ સમજવાથી સબંધોમાં કડવાશ આવે છે.

નિડરતાઃ મિત્રમાં કોઇ અવગુણ છે તો નિડરતાથી તેને જણાવો અને તેને દુર કરવામાં મદદ પણ કરો. સબંધને તોડી નાંખવાથી મિત્ર ગુમાવવાની સાથે એ પણ સાબિત થાય છે કે સબંધ સાચવવામાં તમે નિડર નથી.

પારિવારીક સબંધઃ જેમ આપણે પોતાના પરિવાર સાથે સબંધ નિભાવીએ છીએ તેવી જ રીતે આપણા સાથીદારના પરિવાર સાથે પણ સબંધ નિભાવવા જોઇએ. દરેક સબંધને માન આપો.