ભારતીય પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. આજે તેઓ યાંગુનમાં શ્રી કાળી મંદિરમાં ભારતની ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ સાથે ગયાં હતા. ત્યાં એમણે પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ તેઓ યાંગુનમાં જ આવેલી છેલ્લાં મુગલ રાજા બહાદુર શાહ ઝફરની કબરની મુકાલાતે પણ ગયાં હતા.
રામનાથ કોવિંદ મ્યાનમારમાં યાંગુનમાં રહેતાં 9 ભારતીય આર્મીનાં શૂરવીરોને મળ્યાં હતા.
ગઈકાલે રામનાથ કોવિંદે મ્યાનમારમાં એમણે એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન માટે આધુનિક સેન્ટર અર્પણ કર્યું હતું. આ સિવાય ઇન્ડિયા – મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ અંતર્ગત રાઈસ બાયો પાર્કની પણ ભેટ આપવામાં આવી છે.
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયાં વર્ષે સપ્ટેમ્બરમાં મ્યાનમારની મુલાકાતે ગયાં હતા. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાન નવી દિલ્લીની મુલાકાતે આવ્યા હતા.