Gandhinagar News/ ગાંધીનગર અડાલજમાં દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ

વહીવટીતંત્ર દ્વારા રોડ પહોળો કરવાના કામના ભાગ રૂપે, અડાલજ-ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ પાસે આવેલી બાલાપીર દરગાહને બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે દૂર કરવામાં આવી હતી.

Top Stories Gujarat Breaking News

Gandhinagar News:હાલ દાદાનું બુલડોઝર ફૂલ સ્પીડે દબાણો હટાવવાની કામગીરી કરી રહ્યું છે, ત્યારે ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર વહીવટીતંત્ર દ્વારા રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામના ભાગ રૂપે,અડાલજ-ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ પાસે મુખ્ય માર્ગ પર આવેલી બાલાપીર દરગાહને દૂર કરવામાં આવી હતી. વહીવટીતંત્રએ (Administration) બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે આ કામ હાથ ધર્યું હતું. નોંધનીય છે કે આ અવરોધ આશરે 100 વર્ષ જૂનો હતો.

અડાલજના બાલાપીર ચોકડીમાં દબાણની દૂર કરવાની કામગીરી

પ્રાપ્ત માહિતી અનુસાર, વહીવટીતંત્ર દ્વારા રોડ પહોળો કરવાના કામના ભાગ રૂપે, અડાલજ-ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ પાસે આવેલી બાલાપીર દરગાહને બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે દૂર કરવામાં આવી હતી. અંદાજે 100 વર્ષ જૂની દરગાહ બુધવારે (26 નવેમ્બર) વહેલી સવારે દૂર કરવામાં આવી હતી. ધાર્મિક દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્રે એક ગુપ્ત યોજના બનાવી હતી. વહેલી સવારે આ કાર્ય દરમિયાન મામલતદાર (Mamlatdar) સહિત તમામ સંબંધિત અધિકારીઓ હાજર હતા.

દરગાહની દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી

જિલ્લા વહીવટીતંત્રે અનુસાર કે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે, તેથી લોકોના હિતમાં ઘણું જૂનું  દબાણ  દૂર કરવામાં આવ્યું છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દહેગામ ડિમોલિશન બાદ હિંદુ સંગઠનોની પ્રતિક્રિયા, સરકારની કાર્યવાહીનું સ્વાગત

આ પણ વાંચો:ગાંધીનગરમાં 1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન: 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસ તહેનાત

આ પણ વાંચો:ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ,700થી વધુ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું !