New Delhi News : પેપર લીક અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિના આરોપોને લઈને દિલ્હી (Delhi)ના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન (Student Protest)નો મુદ્દો હવે સંસદ સુધી પહોંચ્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ આ મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા.
Paper Leaks के खिलाफ, बच्चे जंतर-मंतर पर बैठे हैं, लेकिन उनके ऊपर लाठीचार्ज करवाया जा रहा है।
मोदी सरकार हमारे युवा की आवाज़ दबाने की कोशिश कर रही है। pic.twitter.com/Bvgd1LxRYx
— Mallikarjun Kharge (@kharge) July 20, 2026
મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)નાં કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો
મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ રાજ્યસભામાં જણાવ્યું કે જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પેપર લીક વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલો ચિંતાજનક છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને દેશના યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે.
જંતર-મંતર પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે ધરણા પર બેઠા છે. તેમની મુખ્ય માંગણીઓમાં પરીક્ષા ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ સામેલ છે.
આંદોલન દરમિયાન કેટલાક સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓની અટકાયતના મુદ્દાઓ પણ ચર્ચામાં રહ્યા છે. સાથે જ કાર્યકર સોનમ વાંગચુકના લાંબા સમયથી ચાલી રહેલા ઉપવાસને લઈને પણ વિરોધ પ્રદર્શન દરમિયાન અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓના કારણે લાખો ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. બીજી તરફ સરકાર તરફથી આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા અને તપાસની પ્રક્રિયા અંગે ચર્ચા યથાવત છે.
