Not Set/ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્વુની નારાજગી સામે આવી,જાણો વિગત

ચૂંટણી મંચ પર ભાષણ આપવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમની નારાજગી ફરી એકવાર જોવા મળી હતી. સ્ટેજ પર બોલાવ્યા બાદ તેણે હાથ જોડીને ભાષણ આપવાની ના પાડી દીધી.

Top Stories India
4 14 પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્વુની નારાજગી સામે આવી,જાણો વિગત

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સીએમ ચહેરાની જાહેરાત બાદ પણ નવજોત સિંહ સિદ્ધુની નારાજગી ઓછી છે. રવિવારે જ્યારે તેમને ચૂંટણી મંચ પર ભાષણ આપવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમની નારાજગી ફરી એકવાર જોવા મળી હતી. સ્ટેજ પર બોલાવ્યા બાદ તેણે હાથ જોડીને ભાષણ આપવાની ના પાડી દીધી. ખાસ વાત એ છે કે આ ચૂંટણી મંચ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ચરણજીત સિંહ ચન્ની હાજર હતા.

અહેવાલો અનુસાર, સિદ્ધુએ ધુરીમાં કોંગ્રેસના ઉમેદવાર દલબીર સિંહ ગોલ્ડીની રેલીમાં ભાષણ આપવાનો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં, મંચ પરથી પોતાનું નામ બોલાવ્યા બાદ સિદ્ધુ ઉઠ્યો અને હાથ જોડીને ચન્ની તરફ ઈશારો કરીને કહ્યું કે તેને બોલાવો.

જણાવી દઈએ કે જ્યારથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચન્નીને સીએમ ચહેરો જાહેર કર્યો છે ત્યારથી નવજોત સિંહ સિદ્ધુ નારાજ છે. નોંધનીય છે કે જ્યારે સીએમ ચહેરાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સિદ્ધુએ કહ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય તેમને સ્વીકાર્ય છે. પરંતુ તેનું વર્તન દર્શાવે છે કે તેની અંદરથી હજુપણ નારાજ ચાલી રહ્યા  છે.

ઉલ્લેખનીય છે કે ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ બંને પંજાબ ચૂંટણીમાં ઉમેદવારોની રેસમાં હતા. પરંતુ લુધિયાણામાં રાહુલ ગાંધીએ ચન્નીના નામ પર મહોર મારતા કહ્યું કે ચન્ની કાર્યકરો અને ધારાસભ્યોની પહેલી પસંદ છે. સીએમ ચહેરાની જાહેરાત બાદ ચન્ની અને સિદ્ધુએ એકબીજાને ગળે લગાવ્યા, પરંતુ ત્યારથી સિદ્ધુ ચૂંટણી કાર્યક્રમોમાંથી ગાયબ છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે સિદ્ધુની નારાજગીનો અંત કેમ નથી આવી રહ્યો?