Maharashtra News/ રાહુલ ગાંધી બોલ્યા-મનુસ્મૃતિમાં છોકરીને પિતા, પતિ અને બાળકોની સંપત્તિ માનવામાં આવી. મહિલાઓને સ્વતંત્ર થવું જોઈએ. 

Rahul Gandhiએ પૂણેના એેક કાર્યક્રમમાં આપી હાજરી. મહિલા અધિકાર વિશે બોલતા કહ્યું કે, માત્ર 8% મહિલાઓ પાસે પોતાની મિલકત છે.

NATIONAL India Breaking News
Rahul Gandhi

Maharashtra News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ  ‘વિદ્યાર્થીઓની ગૂંજ’  કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મહિલાઓની સ્વતંત્રતા અને આર્થિક સ્વાવલંબન પર ભાર મૂક્યો. તેમણે દાવો કર્યો કે દેશમાં માત્ર 8% મહિલાઓ પાસે પોતાની મિલકત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહિલાનો પિતા, પતિ અને પુત્ર સાથે સંબંધ હોઈ શકે છે, પરંતુ તેની ઓળખ માત્ર આ સંબંધોથી નક્કી થવી જોઈએ નહીં. મહિલાઓને પોતાની સ્વતંત્ર ઓળખ અને નિર્ણય લેવાની ક્ષમતા મળવી જરૂરી છે.

Rahul Gandhiએ મહિલાઓ સામે હિંસાના ત્રણ પ્રકાર ગણાવ્યા

રાહુલ ગાંધીએ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ સામે થતી હિંસાને ત્રણ ભાગમાં વહેંચી હતી. તેમના જણાવ્યા અનુસાર પ્રથમ પ્રકાર જન્મ પહેલાં અથવા જન્મ બાદ બાળકીની હત્યા સાથે જોડાયેલો છે. બીજો પ્રકાર શારીરિક અત્યાચાર છે, જ્યારે ત્રીજો પ્રકાર આર્થિક નિયંત્રણ અને બંધન છે.

તેમણે મહિલાઓની આર્થિક સ્વતંત્રતાને ખાસ મહત્વ આપ્યું. રાહુલના જણાવ્યા પ્રમાણે માત્ર કાયદાકીય અધિકારો પૂરતા નથી, પરંતુ મહિલાઓ પાસે પોતાની સંપત્તિ અને આર્થિક નિર્ણય લેવાની ક્ષમતા પણ હોવી જોઈએ.

તેમણે મનુસ્મૃતિ (Manusmriti)નો ઉલ્લેખ કરીને મહિલાઓ અંગેની (Traditional social mindset) પરંપરાગત સામાજિક વિચારસરણીની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મહિલાઓને કોઈ વ્યક્તિની સંપત્તિ તરીકે જોવી યોગ્ય નથી અને તેઓ કોઈના પર આશ્રિત ન હોવી જોઈએ.

કાર્યક્રમમાં યુવતીએ પોતાની મુશ્કેલી વ્યક્ત કરી

‘વિદ્યાર્થીઓની ગૂંજ’ કાર્યક્રમમાં માત્ર વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરવામાં આવી હતી. આ દરમિયાન એક યુવતીએ પોતાની અંગત પરિસ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે જો તે એક મહિનાથી વધુ સમય માટે બહાર રહે તો તેને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવે છે.

યુવતીની આ વાતે કાર્યક્રમમાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ મુદ્દો મહિલાઓના વ્યક્તિગત જીવનમાં સામાજિક અને પારિવારિક નિયંત્રણના પ્રશ્ન સાથે જોડાયેલો છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા. મહિલાઓના અધિકારો ઉપરાંત શિક્ષણ અને યુવાનો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

રાહુલ ગાંધી અગાઉ પણ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી ચૂક્યા છે. તેમણે 17 જૂને કોટા, 17 જુલાઈએ દેહરાદૂન અને 8 ઓગસ્ટે પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન તેમણે પેપર લીક (Paper Leak), પરીક્ષા વ્યવસ્થા અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ‘વિદ્યાર્થીઓની ગૂંજ’ કાર્યક્રમ પણ યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાના તેમના પ્રયાસનો એક ભાગ હોવાનું જણાવાયું છે.


આ પણ વાંચો:સાહિલની FIR ન નોંધાય ત્યાં સુધી નહીં હટીએ, રાહુલ ગાંધીનો મોદી-શાહ સરકાર પર આરોપ

આ પણ વાંચો:રાહુલ ગાંધી પેલેટ ગન કેસમાં ઘાયલ સાહિલને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા, FIRની માંગ સાથે DCP ઓફિસ બહાર ધરણા

આ પણ વાંચો:રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; વીર સાવરકર માનહાની કેસ અને સમન રદ