પંજાબ વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ચુક્યું છે ત્યારે પંજાબ કોંગ્રેસમાં હજુપણ આંતરિક વિખવાદ સમાપ્ત થયો નથી,જેના લીધે કોંગ્રેસમાં રાજકીય સમીકરણમાં સતત બદલાઇ રહ્યા છે,સિદ્વુ સતત હાઇકમાન્ડ પર મુખ્યમંત્રી ચહેરાને જાહેર કરવા માટે દબાણ કરી રહ્યા છે ત્યારે આજનો દિવસ પંજાબમાં કોંગ્રેસ માટે મોટો છે. આજે એ જાહેરાત થશે કે પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસનો ચહેરો કોણ હશે? આજે રાહુલ ગાંધી લુધિયાણામાં તેની જાહેરાત કરી શકે છે, પરંતુ આનાથી પણ વધુ નજર આના પર રહેશે કે શું આ જાહેરાત બાદ કોંગ્રેસમાં બળવો થશે?કોંગ્રેસ પર ચોતરફ પ્રહારો થઈ રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધુ લડાઈ ઘરઆંગણે થઈ રહી છે. આ ઝઘડાને સમાપ્ત કરવા માટે કોંગ્રેસે AAPનો રસ્તો અપનાવ્યો છે. પંજાબમાં સીએમનો ચહેરો કોણ હશે તે મતદારોને પૂછીને નક્કી કરવામાં આવશે. રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગે લુધિયાણાથી જાહેર કરશે કે કોંગ્રેસના સીએમ ચહેરા પર જનતાએ શું નિર્ણય લીધો છે.
પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને એક સંકેત મળી ગયો છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની તેમની પાસેથી આગળ છે. એટલા માટે સિદ્ધુ પોતાના નિવેદનોથી કોંગ્રેસ હાઈકમાન્ડ પર સતત દબાણ બનાવી રહ્યા છે. સિદ્ધુએ કહ્યું, “પંજાબ શક્તિનો પિરામિડ છે, તમારા જેવા વ્યક્તિ તેની ટોચ પર બેસશે. પંજાબ એવું જ હશે. ચોર બેસી જશે તો પંજાબ લાચાર અને ગરીબ થઈ જશે. એક પ્રામાણિક અને સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ બેસાડો. હું તેની ખાતરી આપું છું. પંજાબ ત્રણ વર્ષમાં ઊભું થશે.
અગાઉ ગઈકાલે પણ સિદ્ધુએ નિવેદન આપ્યું હતું કે હાઈકમાન્ડ નબળા સીએમ ઈચ્છે છે. જોકે બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ નિવેદન કેન્દ્ર માટે હતું કોંગ્રેસ માટે નહીં, પરંતુ સિદ્ધુએ શબ્દોની રમતમાં પોતાની રમત રમી હતી. બંને નેતાઓ દાવો કરે છે કે તેઓ પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખશે, પછી ભલે તેઓને સીએમ ચહેરા તરીકે પસંદ કરવામાં આવે કે ન હોય. કોંગ્રેસમાં એવો ડર છે કે એવું ન થાય કે જાહેરાતની સાથે જ કોંગ્રેસમાં બળવો શરૂ થઈ જાય.