કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ગુજરાતના ભાગરૂપે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોચ્યા છે. રાહુલ ગાંધી ગુજરાત નવસર્જન યાત્રાનો પ્રારંભ અમદાવાદના હાથિજણ ખાતેથી થયો હતો. ત્યારબાદ આ યાત્રા ખેડાના રાસ્કા ખાતે પહોચી છે. રાસ્કા ખાતે રાહુલ ગાંધી ત્યાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ ખાત્રજ ખાતે એક જનસભાને સંબોધી હતી. આ જનસભામાં રાહુલ ગાંધીએ ભાજપ અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા.