Rajkot News : રાજકોટમાં માજી શ્રમ મંત્રી તથા માજી પાલિકા પ્રમુખનું નિધન થયું છે. જેમાં 92 વર્ષની ઉંમરે મનસુખ જોશીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા. મનસુખ જોશી 21થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી રહી ચુક્યા છે.
તેઓ ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા હતા. રાજકોટની ખ્યાતનામ બાળકોની સંસ્થા બાલભાવનના તેઓ મેનેજીંગ ટ્રસ્ટી રહી ચુક્યા છે. ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા મનસુખભાઇ જોશી સામાજિક જીવનમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.
આ પણ વાંચો:ગાંધીનગર:મહાત્મા મંદિર રોડ ઉપર થયો ગમખ્વાર અકસ્માત
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત

