Rajkot Fire Zone Tragedy/ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસઃ SIT પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી

રાજકોટ ટીઆરપી ગેમઝોન કેસમાં સિટે પ્રત્યક્ષ દર્શીઓની પૂછપરછ કરી છે. SITના તપાસ અધિકારી દ્નારા પુછપરછ કરવામાં આવી છે. આઇઓ ભરત બસિયા દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 06 07T154137.575 રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસઃ SIT પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી

Rajkot News: રાજકોટ ટીઆરપી ગેમઝોન કેસમાં (Rajkot Fire Tragedy) સિટે પ્રત્યક્ષ દર્શીઓની પૂછપરછ કરી છે. SITના તપાસ અધિકારી દ્નારા પુછપરછ કરવામાં આવી છે. આઇઓ ભરત બસિયા દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેમઝોનમાં કેટલા લોકો હાજર હતા તેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આના પગલે આગ લાગી તે પૂર્વે આગ લાગી તે વખતે કયા પ્રકારની પરિસ્થિતિ હતી તેનો ખ્યાલ આવી શકે છે. આમ સિટની પૂછપરછના પગલે ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડમાં અનેક ખુલાસા થઈ શકે છે.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ સાગઠિયાએ વટાણા વેર્યા છે, તેણે ભાજપના ત્રણ હોદ્દેદારોના નામ આપ્યા છે. આમ રાજકોટ અગ્નિકાંડના મુદ્દે ચાલતી પૂછપરછમાં હવે એક પછી એક બાબતો બહાર આવી રહી છે. મનસુખ સાગઠિયા આ મુદ્દે ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશને તો સપ્ટેમ્બર 2023માં થયેલી આગના પગલે ગેમિંગ ઝોનના ડિમોલિશનનું કામ હાથ ધર્યુ હતુ, પરંતુ ભાજપના ત્રણ હોદ્દેદારોએ દરમિયાનગીરી કરીને આ ડીમોલિશન રોકાવ્યું હતું. આમ કોર્પોરેશનને તેનું કામ કરતાં અટકાવવામાં આવ્યું હતું.

સરકારી અધિકારીઓની આ રીતે પૂછપરછ થતાં આગામી સમયમાં બીજા નામો પણ ખૂલે તો નવાઈ નહીં લાગે. તેથી આગામી સમયમાં આ મુદ્દે મોટો પર્દાફાશ પણ થઈ શકે છે. હવે આ મુદ્દે સરકાર પોતાને છેડો કઈ રીતે ફાડે છે અને કેટલા સામે કાર્યવાહી કરે છે તે જોવાનું મહત્ત્વનું રહેશે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ મામલે TRP ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ મોટો ધડાકો કર્યો હતો. ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ તોડ કરી હોવાનો SIT સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

યુવરાજ સિંહ સોલંકીએ કબૂલાત કરી કે 2023માં આગની ઘટના સમયે કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો. અને તેમણે ડિમોલેશન અટકાવવા 1.5 લાખની માંગ કરી હતી. તેમજ ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલમાં આ મામલે SITના અધિકારીઓએ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદના ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોનો હોબાળો

આ પણ વાંચો: મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ

આ પણ વાંચો: વડોદરામાં ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશઃ 27 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ

આ પણ વાંચો: સુરતમાં હાઈકોર્ટના કડક વલણ બાદ 250 જેટલી શાળાઓને કરાઇ સીલ