પંજાબમાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આવતીકાલે પટિયાલા જેલમાંથી મુક્ત થશે. આ માહિતી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી છે.તેઓ 1988ના રોડ રેજ કેસમાં જેલમાં બંધ હતા. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને સજાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે 19 મે ના રોજ તેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 26 જાન્યુઆરીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ યોજના હેઠળ નવજોત સિંહ સિદ્ધુની સમય પહેલા રિલીઝ થવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ બાદમાં તેમની મુક્તિ માટે કોઈ આદેશ થયો ન હતો.
નવજોત સિદ્ધુને મળેલી આ સજાનો મામલો લગભગ 35 વર્ષ જૂનો છે, જ્યારે નવજોત સિદ્ધુ અને તેના મિત્ર વચ્ચે પટિયાલામાં પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો. જેમાં એક 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં સિદ્ધુને હાઈકોર્ટે સજા ફટકારી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે દોષિત હત્યાના આરોપને ફગાવી દીધો હતો. આ પછી બે વર્ષ પહેલા પરિવારના સભ્યોએ રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. સિદ્ધુના વકીલોએ અરજીનો વિરોધ કર્યો હતો.
This is to inform everyone that Sardar Navjot Singh Sidhu will be released from Patiala Jail tomorrow.
(As informed by the concerned authorities).
— Navjot Singh Sidhu (@sherryontopp) March 31, 2023
27 ડિસેમ્બર 1988ના રોજ વૃદ્ધો સાથે ઝઘડો થયો હતો
પટિયાલામાં પાર્કિંગને લઈને સિદ્ધુની 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. જેમાં સિદ્ધુએ ગુરનામ સિંહને કથિત રીતે મુક્કો માર્યો હતો. બાદમાં ગુરનામ સિંહનું મૃત્યુ થયું હતું. પોલીસે નવજોત સિંહ સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ સિદ્ધુ વિરુદ્ધ હત્યા નહીં પણ દોષિત હત્યાનો કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો:મેં તો ભગવાન પાસે મોત માંગ્યું,કેન્સર સામે ઝઝૂમી રહેલા નવજોત સિંહ સિદ્ધુની પત્નીનું ભાવુક ટ્વીટ
આ પણ વાંચો:શું નીતિન ગડકરી રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે? આપ્યો આ સ્પષ્ટ જવાબ
આ પણ વાંચો:PM મોદીએ નવા સંસદ ભવનની લીધી મુલાકાત, બાંધકામ કામદારો સાથે કરી આ વાત
