અમદાવાદ,
હિંદુ ધર્મમાં પુરાણકાળથી અમાસનું ઘણું મહત્વ છે અને આજે અમાસ છે. પિતૃ તર્પણ,શ્રાદ્ધ વગેરે કાર્યો માટે શુભ મનાય છે. આમ તો વર્ષમાં 12 મહિનમાં 12 અમાસ આવે છે. આજની અમાસે ઘણા તીર્થો પર મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે ખાસ તો આજના દિવસે કુંભસ્નાનનું ઘણું મહત્વ છે. આ વખતે અમાસનો આરંભ પાંચ માર્ચના સાંજે 7 વાગીને 8 મિનિટે શરૂ થશે અને 6માર્ચે રાત્રે 9 વાગીને 34 મિનિટે પૂર્ણ થશે.
આ અમાસનું માહાત્મય એટલે પણ છે કારણ કે તેના એક દિવસ પહેલા જ શિવરાત્રિનો તહેવાર આવે છે. આ અમાસના દિવસે ગંગા સ્નાન અને દાન પુણ્ય કરવું ઘણું શુભ મનાય છે.