ગુજરાત,
સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણનુ રિઝલ્ટ જાહેર થયુ. જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે યાદીમાં અમદાવાદ છઠ્ઠા ક્રમે અને રાજકોટ નવમાં ક્રમે છે.
આ સર્વેક્ષણ દરમિયાન ચોથી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન દેશના 4237 શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર છે.
સ્વચ્છ સર્વેમાં સુરતનો સતત બીજા વર્ષ ૧૪મો ક્રમ છે. રાજકોટને નવમા ક્રમે સ્થાન મળ્યુ. સોલિડ મેનેજમેન્ટમાં સુરત દેશભરમાં બેસ્ટ સિટી જાહેર કરાયુ.
સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંઘ પુરીએ જાહેર કર્યા હતા. આ સર્વેક્ષણ દરમિયાન ચોથી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયા દેશના 4237 શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરને ટોપ ટેનમાં છઠ્ઠા નંબરનું સ્થાન મળ્યું છે. 4137ના સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા નંબરે રહ્યું છે. 4190ના રેન્ક સાથે નવી દિલ્હી પાંચમાં નંબરે રહ્યું છે.