- સુપરવાઇઝરને મહેનતાણું ન ચૂકવ્યાનો આરોપ
- વસ્ત્રાપુર પોલીસે નોંધી છે ફરિયાદ
અમદાવાદના જાણીતા એવા પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો થયો છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેના બે પુત્રો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ અને તેના બે પુત્રો વિરુદ્ધ સુપરવાઇઝરને મહેનતાણું ન ચૂકવ્યાના આરોપસર ફરિયાદ નોંધી છે.
પોપ્યુલર બિલ્ડરના સિંધુ ભવન પર બનાવેલ ફૂડ કોર્ટમાં સુપરવાઈઝરને પૈસા ન આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુપરવાઇઝરે મહેનતાણા પેટેના ૧૨ લાખ ૩૦ હજાર રૂપિયા આ ત્રણેય બાપ દીકરાઓએ નથી ચૂકવ્યા અંગે ફરિયાદ આપી હતી. પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ નોધાવ્યાં બાદ રમણ પટેલ અને પોપ્યુલર બિલ્ડર ચર્ચામાં આવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…