ટીવી અભિનેત્રી રૂબીના દિલેકે રિયાલિટી શો “બિગ બોસ” ની 14 મી સીઝન ગાયક રાહુલ વૈદ્યને હરાવી જીતી હાંસલ કરી લીધી છે. દિલેકે “છોટી બહુ” અને “શક્તિ – અસ્તિત્વ અહેસાસ કી” માં કામ કર્યું છે. શોના હોસ્ટ સલમાન ખાને ફિલ્મસીટી, મુંબઇ ખાતેના કાર્યક્રમના સેટ પર વિજેતાની ઘોષણા કરી. ટ્રોફી ઉપરાંત વિજેતા રૂબીનાને ઇનામ રૂપે 36 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. દિલેક અને વૈદ્ય સિવાય અભિનેત્રીઓ નીક્કી તંબોલી, અલી ગોની અને રાખી સાવંત ફાઇનલિસ્ટમાં સામેલ હતા. તંબોલી ત્રીજા સ્થાને જ્યારે ગોની ચોથા સ્થાને રહ્યો હતો.દર્શકો ઘણા લાંબા સમયથી કોણ વિજેતા બનશે તે તે અંગે અટકળો કરી રહ્યા હતા આજે તે અટકળોનો અંત આવ્યો છે.
@rubinadilaik! ✨🎉🎊
Audience ka dil jeet kar aakhirkaar karli hai inhone #BiggBoss14 ki trophy haasil! How happy are you Rubiholics?
@beingsalmankhan #BB14 #BB14GrandFinale #BiggBoss14Finale #GrandFinaleBB14
Covid-19 / કોરોનાની ગતિ થઇ મંદી, પણ હજુ સાવધાની છે જરૂરી, જાણો આજે કેટલા નોંધાયા કેસ
દિલેક (33) તેના અભિનેતા-પતિ અભિનવ શુક્લા સાથે પ્રોગ્રામમાં બતાવેલ ઘરે પહોંચી હતી. ઓક્ટોબરમાં શોની શરૂઆતથી તે પ્રેક્ષકોની પસંદગી રહી છે. તેણે ઘરના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો અને શરૂઆતથી જ તે રમત દરમિયાન તેનું વ્યક્તિત્વ જોયા પછી એક મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી. તેણીએ કોઈપણ મુદ્દા પર ખચકાટ કર્યા વિના પોતાનો દોષરહિત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શરૂઆતના તબક્કામાં પણ સલમાન ખાન સાથે પણ વિવાદ વહોરી લીધો હતો.
Election / અમદાવાદીઓ મતદાન કરવામાં નિરસ, રવિવાર છતાં શહેરીજનો મતદાન કરવા ન નીકળ્યા
મનોરંજક સફર
રુબીના દિલેકની બિગ બોસના ઘરની સફર ખૂબ જ મનોરંજક હતી. તેણી પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં એન્ટ્રી મેળવી હતી. જ્યારે કોઈને ખબર ન હોતી કે તેના અને અભિનવ વચ્ચેના સંબંધ કેટલા નિર્ણાયક મોડપર થી પસાર થઇ રહ્યો છે. પરંતુ ઘરની અંદર, જ્યારે તેણે આ વાત પોતાની પર્સનલ લાઇફ વિશે જાહેર કરી, તો દરેક આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ રુબીના અને અભિનવ સંમત બિગ બોસના ઘરે આવ્યા પછી તેઓ એકબીજાની વધુ નજીક આવી ગયા હતા અને હવે તેમના સંબંધો ઘણી હદ સુધી સુધરી ગયા છે.
Covid-19 / સાવધાન!! કોરોના હજુ ગયો નથી, વધતા કેસોનાં કારણે જાણો ક્યા થયુ 1 અઠવાડિયાનું લોકડાઉન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…