સમગ્ર રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થતા મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા કોરોના કેસ ને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા . જેમાં સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વેક્સીનેસનને લઈને અમદાવાદ કોર્પોરેશન પણ જાગી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવી સ્પષ્ટ પરિપત્ર કરાયો છે.
આ પણ વાંચો ;રેલવે મુસાફરી / રેલવે મંત્રાલયે કરી રહ્યું છે આ કામ જેનાથી હવે ગરીબો પણ AC ટ્રેનમાં મુસાફરી કરી શકશે…
મહત્વનું છે કે તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ આવા કર્મચારીઓના વેક્સિનના બંનને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. મ્યુનિ. કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આવશ્યક હોવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઝોનમાં પણ એવી સૂચના આપવામાં આવી છેકે, વેક્સિન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે.
આ પણ વાંચો ;Sue Qatar / એરપોર્ટ પર કપડા ઉતારાવડાવતા કતાર પર ઓસ્ટ્રેલિયામાં કેસ
એટલું જ નહી પણ અધિકારી – કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું પ્રમાણપત્ર સબંધીત વિભાગના એચઓડી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ત્યારે હવે મ્યુનિ. તંત્રએ કર્મચારીઓ પર પણ નજર રખાઈ રહી છે . જો અનિવાર્ય કારણસર કોઇ કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો પછી તેમણે રસીકરણની ગાઇડલાઇન પ્રમાણે સક્ષમ સત્તાના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહશે અને તે સર્ટિફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે.