Bhavnagar News: ભાવનગરમાં ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત પ.પૂ.મદનમોહનદાસજી બાપાનો ભંડારો આજે(11 જૂને) યોજાશે. આ પ્રસંગે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભંડારાનો પ્રસાદ લેવા આવેલ ભક્તોને સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાવનગરમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર ગોળીબાર હનુમાનજીના મહંત પ.પૂ. મદનમોહનદાસજી બાપાનો ભંડારો આજ રોજ મંગળવારે રાખવામાં આવ્યો છે. સવારે 10 કલાકે વિરાટ સંત સંમેલન યોજી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત અને દેશના અનેક નામાંકિત સાધુ, સંતો, મહંતો હાજરી આપશે. પ.પૂ. મદનમોહનદાસજી બાપા ગૌ સેવાના હિમાયતી પણ હતા. તેઓ 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. જાહેર આમંત્રણ મંદિરના રામશરણ દાસજી મહારાજ, કલ્યાણી માતાજી, સરજુદાસ બાપુ દ્વારા આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં
આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ